ઘણા સમયથી EPS હેઠળ મળતું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધારીને ₹7500 કરવાની માંગ ઉઠી રહી છે. ₹1000 પેન્શન વર્તમાન મોંઘવારીમાં પર્યાપ્ત નથી.
ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
પેન્શનમાં વધારાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ અંગે ચોમાસુ સત્રમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ આપ્યો મહત્વનો જવાબ.

- ઇપીએસ લઘુત્તમ પેન્શન ₹1000 થી ₹7500 કરવાની માંગ ઉઠી.
- સંસદમાં સરકારે પેન્શન વધારવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.
- સરકારે પેન્શન ફંડની ટકાઉપણું ધ્યાનમાં રાખવી જરૂરી જણાવી.
EPS pension hike news: નોકરી કરતા લોકો માટે નિવૃત્તિ પછી પેન્શન એ મોટો આર્થિક સહારો હોય છે. પ્રાઇવેટ કે સરકારી સેક્ટરમાં નોકરી કરતા કર્મચારીઓ પીએફ (EPFO) અને તેની સાથે જોડાયેલી EPS (એમ્પ્લોયી પેન્શન સ્કીમ) થી સારી રીતે પરિચિત હશે જ. છેલ્લા ઘણા સમયથી EPS હેઠળ મળતા લઘુત્તમ પેન્શનની રકમ ₹1000 થી વધારીને ₹7500 કરવાની જોરદાર માંગ ઉઠી રહી છે. આ મુદ્દે હવે સંસદના ચોમાસુ સત્રમાં સરકાર તરફથી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં પેન્શન વધારવા અંગે કોઈ નવો નિર્ણય લેવાયો નથી. ચાલો આ આખા મામલાને અને સરકારના જવાબને વિગતે સમજીએ.
શું છે EPS અને હાલમાં કેટલું મળે છે પેન્શન?
કોઈપણ સરકારી કે ખાનગી ક્ષેત્રમાં કામ કરતો કર્મચારી EPFO વિશે જાણતો જ હોય છે. આ યોજનાની અંદર જ એક EPS સ્કીમ આવે છે, જે નિવૃત્તિ પછી કામ લાગે છે. આ સ્કીમનો મુખ્ય હેતુ એ છે કે નિવૃત્તિ પછી પણ કર્મચારીની જીવનશૈલીમાં કોઈ મોટો અને અણધાર્યો ફેરફાર ન આવે અને તેમને આર્થિક ટેકો મળતો રહે. હાલમાં આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછું (લઘુત્તમ) પેન્શન ₹1000 અને વધુમાં વધુ પેન્શન ₹7500 નક્કી કરાયેલું છે. જોકે, વર્તમાન મોંઘવારીને જોતા આ ₹1000 ની રકમને વધારવા માટે ઘણા સમયથી ચર્ચાઓ અને માંગણીઓ ચાલી રહી છે.
સંસદમાં પેન્શન વધારાના મુદ્દે શું ચર્ચા થઈ?
અત્યારે દેશમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, જેમાં લોકોના હિત સાથે જોડાયેલા અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. આ જ સત્રમાં લોકસભામાં કર્મચારીઓના EPS પેન્શનની રકમ વધારવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આ પ્રશ્નનો સરકાર વતી જવાબ આપતા શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે, "ઘણા બધા હિતધારકો દ્વારા પેન્શનમાં વધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી."
આ પણ વાંચોઃ નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
સરકારે કહ્યું- 'પેન્શન ફંડની ટકાઉપણું ધ્યાનમાં રાખવી જરૂરી'
મંત્રી શોભા કરંદલાજેએ તેમના જવાબમાં વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર EPS-95 પેન્શનરોને દર મહિને ઓછામાં ઓછું ₹1000 નું પેન્શન ચોક્કસ મળે તે સુનિશ્ચિત કરવા માટે બજેટરી સપોર્ટ (નાણાકીય સહાય) પૂરો પાડી રહી છે. સરકારે એમ પણ કહ્યું કે તેઓ EPFO ના સભ્યો માટે સામાજિક સુરક્ષા કવરેજને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. પરંતુ, કોઈપણ નિર્ણય લેતા પહેલા પેન્શન ફંડની ટકાઉપણું (ફંડ સસ્ટેનેબિલિટી) અને ભવિષ્યની નાણાકીય જવાબદારીઓને પણ ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે.
કર્મચારી સંગઠનોની માંગ શું છે?
નોંધનીય છે કે, દેશના વિવિધ ટ્રેડ યુનિયનો અને જનપ્રતિનિધિઓ સહિત ઘણા સંગઠનોએ સરકાર પાસે વારંવાર એવી માંગ કરી છે કે પીએફ હેઠળ મળતું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધારીને સીધું ₹7500 કરવામાં આવે. પેન્શનરો અને સંગઠનોનું સ્પષ્ટ માનવું છે કે આજના જમાનામાં માત્ર ₹1000 પેન્શન તરીકે મેળવવાનો કોઈ અર્થ નથી. આટલી મામૂલી રકમમાં નિવૃત્ત લોકો માટે પોતાના રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવું અત્યંત મુશ્કેલ બની જાય છે.
આ પણ વાંચોઃ EPFO Pension: 10 વર્ષની નોકરી પછી કેટલું પેન્શન મળશે? ₹10,000 અને ₹20,000 પર ગણતરી જાણો
Frequently Asked Questions
EPS હેઠળ લઘુત્તમ પેન્શન વધારવા માટે શું માંગણી કરવામાં આવી રહી છે?
EPS પેન્શન વધારા અંગે સરકારે સંસદમાં શું જણાવ્યું?
સરકારે સંસદમાં જણાવ્યું કે EPS પેન્શન વધારવા અંગે હજુ સુધી કોઈ નવો નિર્ણય લેવામાં આવ્યો નથી, જોકે ઘણા હિતધારકો દ્વારા માંગણી કરવામાં આવી છે.
EPS પેન્શન વધારા અંગે નિર્ણય લેતી વખતે સરકાર કઈ બાબતો ધ્યાનમાં રાખે છે?
સરકારે જણાવ્યું કે કોઈપણ નિર્ણય લેતા પહેલા પેન્શન ફંડની ટકાઉપણું અને ભવિષ્યની નાણાકીય જવાબદારીઓને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.
હાલમાં EPS હેઠળ લઘુત્તમ અને મહત્તમ કેટલું પેન્શન મળે છે?
હાલમાં EPS સ્કીમ હેઠળ ઓછામાં ઓછું ₹1000 અને વધુમાં વધુ ₹7500 પેન્શન નક્કી કરાયેલું છે.






















