શોધખોળ કરો

Crime News: અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યામાં મોટો ખુલાસો, જાણો કોણે આપી હતી હત્યાની સોપારી

પાલડીમાં પણ યુવકની ઘાતકી હત્યા: શહેરમાં કથળતી કાયદો-વ્યવસ્થા પર ગંભીર સવાલો.

Ahmedabad builder murder: અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. તાજેતરમાં, બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. નિકોલના સરદારધામ પાસેના બેઝમેન્ટ પાર્કિંગમાં થયેલી આ હત્યા પાછળ ધંધાકીય અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મૃતક હિંમત રૂડાણી અને આરોપી મનસુખ લાખાણીના પુત્રો વચ્ચેના વ્યવસાયિક વિવાદને કારણે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શહેરના પાલડી વિસ્તારમાં પણ એક યુવકની જાહેરમાં થયેલી ઘાતકી હત્યાએ પોલીસની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

હિંમત રૂડાણી હત્યા કેસ: ધંધાકીય અદાવતનું પરિણામ

અમદાવાદના વિરાટનગર ચાર રસ્તા પાસે એક મર્સિડીઝ ગાડીની ડિકીમાંથી બિલ્ડર હિંમત રૂડાણીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા. પોલીસે આ કેસની તપાસ કરતાં જાણવા મળ્યું કે આ હત્યાનો મુખ્ય આરોપી મનસુખ લાખાણી છે. હત્યાનું કારણ હિંમત રૂડાણી અને મનસુખ લાખાણીના પુત્રો વચ્ચેનો કંસ્ટ્રક્શન સાઈટ પરનો વિવાદ હતો.

બંનેના પુત્રો ધંધાકીય ભાગીદાર હોવા છતાં, કિંજલ લાખાણી (મનસુખનો પુત્ર) દ્વારા ધવલ રૂડાણીને (હિંમતનો પુત્ર) સાઈટ પર પ્રવેશ ન આપવામાં આવતા વિવાદ વધુ વકર્યો હતો. આ વિવાદને કારણે 26 ઓગસ્ટ, 2020 ના રોજ હિંમત રૂડાણી અને મનસુખ લાખાણી વચ્ચે મારામારી થઈ હતી, જે બાદ હિંમત રૂડાણીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. આ ઘટના બાદ મનસુખ લાખાણીએ અગાઉ ₹50,000 માં હિંમત રૂડાણીના હાથ-પગ તોડવાની સોપારી પણ આપી હતી. આખરે, અમદાવાદ અને બનાસકાંઠા પોલીસના સંયુક્ત ઓપરેશનથી આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે.

જ્યારે હિંમત રૂડાણીની હત્યાનો મામલો ચાલી રહ્યો હતો, તે જ સમયે અમદાવાદના પાલડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વધુ એક મોટો સવાલ ઊભો થયો છે. પાલડી પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે, નૈસલ ઠાકોર નામના એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. નંબર પ્લેટ વગરની કારમાં આવેલા હુમલાખોરોએ પહેલા નૈસલને કારથી ટક્કર મારી, ત્યારબાદ તેને તીક્ષ્ણ હથિયારો વડે આડેધડ ઘા ઝીંક્યા. જીવ બચાવવા માટે ભાગતા નૈસલને ફરી પકડીને આઠ જેટલા ઘા મારવામાં આવ્યા અને છેલ્લે તેના પર કાર ચઢાવીને હુમલાખોરો ફરાર થઈ ગયા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget