![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Crime News: રાજકોટમાં ગુમ થયેલી બાળકીની મળી લાશ, દુષ્કર્મ બાદ પથ્થરોના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની આશંકા
Crime News: ગુરુવારે રાજકોટમાંથી ગુમ થયેલી બાળકી અંગે દુખદ સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે બાળકીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી, હવે આજે બાળકીની લાશ અવાવરૂ જગ્યાએથી મળી આવી છે.
![Crime News: રાજકોટમાં ગુમ થયેલી બાળકીની મળી લાશ, દુષ્કર્મ બાદ પથ્થરોના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની આશંકા dead Body of missing girl found in Rajkot Crime News: રાજકોટમાં ગુમ થયેલી બાળકીની મળી લાશ, દુષ્કર્મ બાદ પથ્થરોના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની આશંકા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/25/30b729bcc59651523b22c8a055cc8c831695610419224651_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Crime News: ગુરુવારે રાજકોટમાંથી ગુમ થયેલી બાળકી અંગે દુખદ સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે બાળકીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી, હવે આજે બાળકીની લાશ અવાવરૂ જગ્યાએથી મળી આવી છે. જે બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. રાજકોટ પોલીસ અને રેલવેના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ભક્તિનગર રેલવે સ્ટેનશન પાસે આવેલી અવાવરું જગ્યામાંથી લાશ મળી આવી હતી.
પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. પથ્થરોના ઘા મારીને બાળકીની હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે. આ ઉપરાંત બાળકી પર રેપ થયાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટના ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલ જંગલ જેવા વિસ્તારમાંથી બાળકીની પથ્થરોના ઘા મારી હત્યા કરાયેલી લાશ મળી છે.
રાજકોટ શહેરની મધ્યમાં 50 એકર કરતા વધારે જગ્યામાં રેલવેની જાળી જાખડા વાળી અવાવરું જગ્યા પડેલી છે. બાળકીના પિતા ઘટનાસ્થળે પહોંચ્યા અને બાળકીને ઓળખી બતાવી હતી. ડીસીપી સુધીરકુમાર દેસાઈ સહિતના અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ તો તાગ મેળવી રહ્યા છે. તો બીજી તરફ બનાવને લઈને એફએસએલની ટીમ અને ડોગ થોડીવારમાં પહોંચશે.
સોની પરિવારની બાળકી લક્ષ્મીનગરમાંથી ગઈકાલે આઠ વાગ્યે ગુમ થઈ હતી. માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં આજે બપોરે ગુમ થયાની અરજી પરિવારજનોએ દાખલ કરી હતી. અલગ અલગ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટના ડીસીપી સુધીરકુમાર દેસાઈએ નિવેદન આપ્યું છે. બાળકીનું મોઢું છુંદેલી હાલતમાં જોવા મળી રહેલું છે. બાળકીનું ફોરેન્સિક પીએમ કરવામાં આવશે. બાળકી સાથે કોઈ અઘટિત ઘટના બની છે કે કેમ તે બાબતે ફોરેન્સિક પીએમ કરવામાં આવશે. તો બીજી તરફ બાળકની મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે. આ ઉપરાંત રાજકોટમાં વધી રહેલા ગુન્હાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટમાં એક પરિવાર અંધશ્રદ્ધાનો શિકાર બન્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં રહેતા અરુણ સાપરિયા ઉર્ફે ગુરજી ભુવાએ એક પરિવાર પાસેથી આઠ લાખ રૂપિયા પડાવી લીધાનો આરોપ લાગ્યો છે. મનહર પ્લોટમાં રહેતા એક વ્યક્તિએ ભુવા વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. જેમાં અરજી કરનારે લખ્યું હતું કે અમારા પરિવારમાં મુશ્કેલીઓ આવતી હોવાના કારણે અમે અરુણ સાપરિયા નામના ભુવાના સંપર્કમાં આવ્યા હતા. આ ભુવાએ અમને કહ્યું હતું કે તમારુ કામ અધુરુ છે તમારે દારૂ, મટન અને કુંવારી છોકરી આપવી પડશે.
જોકે અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભુવાએ ટૂકડે ટૂકડે તેમની પાસેથી આઠ લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા પરંતુ અમારુ કામ ના થતા અમે તેની પાસેથી અમારા રૂપિયા પરત માંગ્યા હતા. જોકે ભુવાએ અમને કામ કરી આપવાના બદલામાં દારૂની બોટલ, મટન અને કુંવારી છોકરીની માંગ કરી હતી. અમે અમારા રૂપિયા પરત માંગતા ભુવાએ રૂપિયા પરત આપવાની ના પાડી હતી. એટલું જ નહી અમને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. ભોગ બનનારે કહ્યું હતું કે ભુવાએ અમારી સાથે છેતરપિંડી કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)