શોધખોળ કરો

CRIME NEWS: અમદાવાદમાં સગા બાપે 9 વર્ષની બાળકીને ડામ આપી માર મારતા ચકચાર

અમદાવાદ: શહેરમાં લોહીના સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. આ ઘટના વિશે જાણીને કોઈ પણ પથ્થર દિલવાળા વ્યક્તિની આંખમાં પણ આંસુ આવી જાય. સગા પિતાએ બાળકી ડામ આપતા ચકચાર મચી છે.

અમદાવાદ: શહેરમાં લોહીના સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. આ ઘટના વિશે જાણીને કોઈ પણ પથ્થર દિલવાળા વ્યક્તિની આંખમાં પણ આંસુ આવી જાય.  આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો 9 વર્ષની દીકરીને સગા બાપે ડામ દઇ માર મારતા ચકચાર મચી છે. રોટલી શેકવાના ચીપિયાથી પિતાએ બાળકીને ડામ આપ્યા છે. અમદાવાદના ચાંદલોડિયાના રબારી જીતુભાઈ ગફૂરભાઈએ ડામ આપ્યા હોવાની વાત સામે આવી છે.

આ ઘટના બાદ કડીના બલાસર ગામે રહેતા બાળકીના મામાએ ફરિયાદ નોંધાવી છે. હાલામં ગાંધીનગર સિવિલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. ફરિયાદી જામાભાઈની બહેનના છૂટાછેડા થયા હતા. છૂટાછેડા બાદ 9 વર્ષીય ભાણી મેશ્વા મામાને ઘરે રહેતી હતી. મેશ્વાને સામાજિક સમજૂતીથી તેના પિતા જીતુભાઈ અમદાવાદ લઇ ગયા હતા. જ્યાં છેલ્લા ત્રણ મહિનાથી પિતા જીતુ રબારી 9 વર્ષીય દીકરી મેશ્વાને ડામ દઇ માર મારતો હોવાની વાત સામે આવી હતી. જેની તેના મામાને જાણ થતા બાળકીને અમદાવાદથી લાવી પહેલા કડી અને ત્યાર બાદ ગાંધીનગરમાં સારવાર માટે ખસેડાઈ છે. હાલમાં બાળકી તબિયત સારી છે અને તેનેકડીના બલાસાર ગામે મામા જામાભાઇ રબારીને ત્યાં હેમખેમ લવાઈ છે. બાળકીના પિતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં ભરવા માંગ કરાઇ છે.

ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્ય ઉતર્યા આમરણ ઉપવાસ પર

બનાસકાંઠા: થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આમરણ ઉપવાસની શરૂઆત કરી છે. થરાદ મામલતદાર કચેરી આગળ સમર્થકો અને કોંગ્રેસના આગેવાનો સાથે રાખી આજથી થરાદ વિધાનસભાના પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ધરણા ઉપર બેઠા છે.

વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં અનેક આંદોલનો હાલ સરકાર સામે જોવા મળી રહ્યા છે ત્યારે આજે થરાદ મતવિસ્તારના પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત પણ આમરણ ઉપવાસ ઉપર બેઠા છે. વિવિધ મુદ્દાઓને લઈને આજે ધરણીધર ભગવાનને પત્ર લખી સરકારને સદબુદ્ધિ આપે તેવી માંગ કર્યા બાદ ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે. 10 જેટલા પડતર પ્રશ્નોને લઈને ગુલાબસિંહ રાજપુતે આમરણ ઉપવાસની શરૂઆત કરી છે..

થરાદ વિધાનસભાના 97 ગામોને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવેશ કરવા બાબત, થરાદ વિધાનસભાના કાચા રસ્તા પાકા બનાવવામાં બાબત, થરાદના નાગલા ડોડગામ અને ખાનપુર ગામોને પૂર્ણવર્સન બાબત, સુજલામ સુફલામ કેનાલમાં બારેમાસ પાણી આપવા બાબત, જમીન રી સર્વે,ગરીબ પરિવારને પ્લોટ અને રહેઠાણ, દલિત સમાજની સ્મશાન ભૂમિ નિમ કરવા બાબત અને થરાદ રેફરલ હોસ્પિટલને આધુનિક બનાવવા બાબત અને ગૌશાળા અને પાંજરાપોળને 500 કરોડની સહાય આપવા બાબતને લઈને ધારાસભ્ય ગુલાબસિંહ આમરણ ઉપવાસ ઉપર આજથી શરૂઆત કરી છે.

વિવિધ પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં સમર્થકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે ત્યારે વિવિધ માગોને લઈને દર દિવસે પાંચ ગામોના લોકો દ્વારા સમર્થન પણ કરવામાં આવી રહ્યું છે.  આજે પૂર્વ વિસ્તારના ગામડામાંથી અનેક આગેવનોએ પણ હાજરી આપી છે.

ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આવ્યા સમર્થનમાં

થરાદ ધારાસભ્ય ગુલાબ સિહ રાજપૂતના ઉપવાસ આંદોલન સમર્થનમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પહોંચ્યા છે. થરાદ ધારાસભ્ય દ્વારા ભગવાનને લખાયેલા પત્ર મામલે ગેનીબેન ઠાકોરએ નિવેદન આપ્યુ છે. જ્યાંરે જયારે અતિરેક થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર આવે છે તેવું નિવેદન ગેનીબેને આપ્યું છે. યદા યદા હી ધરમસ્ય શ્લોલકો ઉલ્લેખ પણ તેમણે કર્યું હતો. જયારે અતિરેક થાય ત્યારે ભગવાન પણ માફ કરતો નથી ત્યારે ભગવાન આ પ્રસાસનનું પુરૂ કરે તેવી પ્રાર્થના કરૂ છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
Embed widget