શોધખોળ કરો

Crime News: અમદાવાદમાં પાટીદાર બિલ્ડરની હત્યામાં મોટો ખુલાસો; ₹1 કરોડની સોપારી અને મકાન આપી પૂર્વ પાર્ટનરે હત્યા કરાવી

Crime News: ₹25 કરોડના વિવાદમાં લોહિયાળ પરિણામ, પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓની ધરપકડ કરી.

Ahmedabad builder murder: અમદાવાદમાં 13 સપ્ટેમ્બરની મોડી રાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી મળી આવેલી પાટીદાર બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે તેમની હત્યા ₹25 કરોડની નાણાકીય લેવડ-દેવડના વિવાદમાં કરવામાં આવી હતી. આ હત્યાનો મુખ્ય સૂત્રધાર તેમનો જ ભૂતપૂર્વ ભાગીદાર મનસુખ લાખાણી ઉર્ફે જેકી છે, જેણે ₹1 કરોડ રોકડા અને એક મકાન આપીને સોપારી આપી હતી. પોલીસે આ મામલે મનસુખ લાખાણી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે અને બે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે.

હિંમતભાઈ રૂડાણી અને તેમના ભૂતપૂર્વ ભાગીદાર મનસુખ લાખાણી વચ્ચે વર્ષ 2020 થી ₹25 કરોડની નાણાકીય લેવડ-દેવડને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ એટલો ગંભીર બન્યો કે મનસુખ લાખાણીએ હત્યાનું કાવતરું ઘડ્યું. આ માટે તેણે રાજસ્થાનના 3 આરોપીઓને સોપારી આપી. આ પહેલા, એક વર્ષ અગાઉ પણ મનસુખે ₹50,000 આપીને હિંમતભાઈના હાથ-પગ તોડાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે નિષ્ફળ રહી હતી. તાજેતરમાં, આરોપીઓએ નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં હિંમતભાઈની હત્યા કરી હતી. હત્યા બાદ, મૃતદેહને તેમની જ મર્સિડીઝ કારની ડેકીમાં મૂકીને 6 કિલોમીટર દૂર વિરાટનગર બ્રિજ નીચે છોડી દેવામાં આવ્યો હતો. આખાય ગુનાનો ફોટો અને વિડીયો આરોપીઓએ મનસુખ લાખાણીને મોકલ્યો હતો.

અમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ કેસને ઉકેલી નાખ્યો. હત્યા કરનાર આરોપીઓ હિમાંશુ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને એક સગીરને રાજસ્થાનના શિરોહી થી ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે મુખ્ય સૂત્રધાર મનસુખ લાખાણીની પણ ધરપકડ કરી છે. કોર્ટે મુખ્ય આરોપી હિમાંશુ અને પપ્પુના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી પોલીસે આ કાવતરામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ અને ગુનાના પુરાવાઓ એકત્રિત કરવા માટે વધુ તપાસ કરી શકે. પોલીસને આરોપીઓના ફોનમાંથી ચેટ પણ મળી છે, જે આ હત્યા એક સુઆયોજિત સોપારી હતી તેનો પુરાવો આપે છે.

મનસુખ લાખાણી અને હિંમતભાઈ રૂડાણી વચ્ચેના વિવાદની જડ ₹3 કરોડના 'કેન્સ કોર્નર' નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સના પ્રોજેક્ટમાં હતી. આ વિવાદ એટલો વધી ગયો હતો કે વર્ષ 2024 માં હિંમતભાઈના પુત્ર ધવલ રૂડાણીએ મનસુખના પુત્ર કિંજલ લાખાણી સામે CID ક્રાઈમમાં ₹1.50 કરોડની છેતરપિંડીનો આરોપ મૂકી ફરિયાદ નોંધાવી હતી. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા પાછળ આ જ જૂની અદાવત મુખ્ય કારણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, 2289 કરોડનું કૌભાંડ અને 638 ધરપકડ
ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, 2289 કરોડનું કૌભાંડ અને 638 ધરપકડ
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
અમદાવાદમાં ક્રૂર હત્યા: જમવામાં કીડી નીકળતા 4 મિત્રોએ ભેગા મળી મિત્રને રહેંસી નાખ્યો
અમદાવાદમાં ક્રૂર હત્યા: જમવામાં કીડી નીકળતા 4 મિત્રોએ ભેગા મળી મિત્રને રહેંસી નાખ્યો
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Embed widget