શોધખોળ કરો

અફઝલ ગુરૂનો ભાઇ લડશે ચૂંટણી, આ બેઠક પરથી મેદાને ઉતરવાની કરી જાહેરાત, કહ્યું કે, સાબિત કરીશ કે....

Jammu Kashmir Election 2024: અફઝલ ગુરુના ભાઈનું નામ એજાઝ છે, જેઓ એક સમયે પશુપાલન વિભાગમાં હતા, VRS પછી હવે તેઓ ચૂંટણી લડશે. તેણે કહ્યું કે તેનો પુત્ર શોએબ...

Jammu Kashmir Election  2024:જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આતંકવાદી અફઝલ ગુરુના નામે રાજકીય હોબાળો મચી ગયો છે. ઓમર અબ્દુલ્લાના વિવાદાસ્પદ નિવેદન વચ્ચે, 2001 સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુના ભાઈએ જાહેરાત કરી છે કે તે વિધાનસભા ચૂંટણી લડશે. અફઝલ ગુરુના ભાઈનું નામ એજાઝ છે અને તેણે જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે સોપોરથી ઊભા રહેવાની જાહેરાત કરી છે.એજાઝે કહ્યું કે મારે ચૂંટણી કેમ ન લડવી જોઈએ… જ્યારે હું ભાઈ અફઝલ ગુરુના નામ પર વોટ નહીં માંગું.

સોપોરની બેઠક એક સમયે અલગતાવાદી નેતા અને જમાતના વિચારક સૈયદ અલી શાહ ગિલાનીનો ગઢ માનવામાં આવતી હતી. અફઝલ ગુરુના ભાઈ એઝાઝ  કોઈપણ પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવી નથી પરંતુ તેણે ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે અને તે અપક્ષ તરીકે ચૂંટણી લડશે, એમ તેમણે જણાવ્યું હતું. હિન્દુસ્તાન ટાઈમ્સના આ અહેવાલ મુજબ એઝાઝે કહ્યું, 'હું સોપોરથી અપક્ષ  ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ. જ્યારે દરેક જણ ચૂંટણી લડે છે તો હું કેમ ન લડું? મારી વિચારધારા મારા ભાઈથી અલગ છે. નવ મહિના પહેલા ખોટા કેસમાં પકડાયેલા મારા પુત્ર શોએબ સહિત જે યુવાનોને ખોટા કેસમાં પકડવામાં આવ્યા છે તેમના માટે હું લડત આપીશ. પશુપાલન વિભાગમાં કામ કરતા એજાઝે 2014માં વીઆરએસ લીધું હતું.

ઉલ્લેખનિય છે કે, 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ પર હુમલાને અંજામ આપવામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને મદદ કરનાર અફઝલને ફેબ્રુઆરી 2013માં તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. આ પછી તેને દફનાવવામાં આવ્યો. આ આતંકવાદી હુમલામાં નવ લોકો માર્યા ગયા હતા.

'હું સાબિત કરીશ કે મારા દીકરાએ કંઈ ખોટું કર્યું નથી...'

58 વર્ષીય એજાઝે કહ્યું કે તેમના પુત્રની નવ મહિના પહેલા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તે હજુ પણ જેલમાં છે. તેણે કહ્યું, 'જ્યારે એન્જિનિયર રાશિદના પુત્ર અબરાર રાશિદે તેના પિતા માટે પ્રચાર કર્યો હતો, તો હું પૂણેમાં અભ્યાસ કરી રહેલા મારા પુત્ર માટે પ્રચાર કેમ ન કરી શકું? હું સાબિત કરીશ કે મારા દીકરાએ કંઈ ખોટું કર્યું નથી.

મારા ભાઈના નામે વોટ નહીં માંગું...'

એજાઝે કહ્યું કે તે તેના ભાઈના નામ પર વોટ નહીં માંગે કારણ કે 'મારી વિચારધારા અલગ છે.' હું માનું છું કે કાશ્મીરની જનતાને દરેક રાજનેતાએ દગો આપ્યો છે, કેટલાક ઓટોનોમીના નામે તો કેટલાકે 'આઝાદી'ના નામે. બધાએ કાશ્મીરની જનતા સાથે દગો કર્યો છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ તારીખ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ તારીખ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો લેટેસ્ટ અપડેટ 
બિલાસપુરમાં ભયંકર ભૂસ્ખલન: બસ પર કાટમાળ પડતાં 18 લોકોના મોત, 30 લોકો હતા સવાર
બિલાસપુરમાં ભયંકર ભૂસ્ખલન: બસ પર કાટમાળ પડતાં 18 લોકોના મોત, 30 લોકો હતા સવાર
રશિયન સેના તરફથી લડી રહ્યો હતો મોરબીનો યુવક, યુક્રેનની આર્મી સામે કર્યું સરેન્ડર
રશિયન સેના તરફથી લડી રહ્યો હતો મોરબીનો યુવક, યુક્રેનની આર્મી સામે કર્યું સરેન્ડર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કર્મચારીઓની સુધરી દિવાળી
Hun To Bolish : હું તો બોલીશ : કેમ નથી લડવી ચૂંટણી ?
Hun To Bolish : હું તો બોલીશ : કફ સીરપ કે ઝેર ?
Gandhinagar News : રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી પર સરકારની મોટી ભેટ
Cyclone Shakhti Update: શક્તિ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર, હવામાન વિભાગે  શું કરી આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ તારીખ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ તારીખ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો લેટેસ્ટ અપડેટ 
બિલાસપુરમાં ભયંકર ભૂસ્ખલન: બસ પર કાટમાળ પડતાં 18 લોકોના મોત, 30 લોકો હતા સવાર
બિલાસપુરમાં ભયંકર ભૂસ્ખલન: બસ પર કાટમાળ પડતાં 18 લોકોના મોત, 30 લોકો હતા સવાર
રશિયન સેના તરફથી લડી રહ્યો હતો મોરબીનો યુવક, યુક્રેનની આર્મી સામે કર્યું સરેન્ડર
રશિયન સેના તરફથી લડી રહ્યો હતો મોરબીનો યુવક, યુક્રેનની આર્મી સામે કર્યું સરેન્ડર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
શાહરુખ અને ગૌરી ખાનની મુશ્કેલી વધી,સમીર વાનખેડે માનહાનિના કેસમાં દિલ્હી હાઈકોર્ટે પાઠવ્યું સમન્સ
શાહરુખ અને ગૌરી ખાનની મુશ્કેલી વધી,સમીર વાનખેડે માનહાનિના કેસમાં દિલ્હી હાઈકોર્ટે પાઠવ્યું સમન્સ
આકર્ષક ડીઝાઈન સાથે માર્કેટમાં આવી રહી છે હળવી અને સ્માર્ટ ઈલેક્ટ્રિક કાર,શહેરી લોકો માટે બેસ્ટ છે વિકલ્પ
આકર્ષક ડીઝાઈન સાથે માર્કેટમાં આવી રહી છે હળવી અને સ્માર્ટ ઈલેક્ટ્રિક કાર,શહેરી લોકો માટે બેસ્ટ છે વિકલ્પ
ODI કેપ્ટનશીપ પરથી હટાવ્યા બાદ રોહિત શર્માનું પહેલું નિવેદન, કહ્યું,
ODI કેપ્ટનશીપ પરથી હટાવ્યા બાદ રોહિત શર્માનું પહેલું નિવેદન, કહ્યું, "ક્રિકેટ માટે..."
Ukraine:  યુક્રેનને ટૉમહૉક મિસાઈલ આપવાનું વિચારી રહ્યું છે અમેરિકા, યુદ્ધ સમાપ્ત કરવાની ટ્રમ્પની ફરી અપીલ
Ukraine: યુક્રેનને ટૉમહૉક મિસાઈલ આપવાનું વિચારી રહ્યું છે અમેરિકા, યુદ્ધ સમાપ્ત કરવાની ટ્રમ્પની ફરી અપીલ
Embed widget