શોધખોળ કરો

Uttar Pradesh : અખિલેશ યાદવે કર્યો દાવો, ઉત્તરપ્રદેશમાં આ કારણે જનતાએ ભાજપને મત આપ્યાં

તેમણે કહ્યું કે દેશ આઝાદીના 75 વર્ષમાં 'અમૃત મહોત્સવ' ઉજવવા જઈ રહ્યો છે, પરંતુ સ્વતંત્રતા સંગ્રામના મૂલ્યો પાછળ ધકેલાઇ ગયા છે , લોકશાહીનો પાયો જોખમમાં છે.

Uttar Pradesh : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોમવારે ભારતીય જનતા પાર્ટી  પર આરોપ લગાવતા કહ્યું કે, આ પાર્ટીની કપટની રાજનીતિને કારણે રાજનીતિની પવિત્રતા જોખમમાં આવી ગઈ છે. અખિલેશે લખનૌમાં આરોપ લગાવ્યો હતો કે ભાજપની ચાલાકીભરી રાજનીતિને કારણે રાજકારણ મુશ્કેલીમાં છે. તેમણે કહ્યું કે દેશ આઝાદીના 75 વર્ષમાં 'અમૃત મહોત્સવ' ઉજવવા જઈ રહ્યો છે, પરંતુ સ્વતંત્રતા સંગ્રામના મૂલ્યો પાછળ ધકેલાઇ ગયા છે , લોકશાહીનો પાયો જોખમમાં છે.

જનતા ભાજપની ડર અને ભ્રમની રાજનીતિનો શિકાર બની
સપા પ્રમુખે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં જનતા ભાજપની ડર અને ભ્રમની રાજનીતિનો શિકાર બની છે. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી તેના તમામ સહયોગી અને સમર્થકો સાથે નવી ઉર્જા, પ્રગતિશીલ વિચાર સાથે ભવિષ્યની રણનીતિ બનાવીને સંઘર્ષ ચાલુ રાખશે. અખિલેશે કહ્યું કે રાષ્ટ્ર-રાજ્યને માર્ગદર્શન આપતા બંધારણની સુરક્ષામાં ચૂંટણીપંચની સ્વતંત્ર ભૂમિકા જરૂરી છે, ચૂંટણીમાં લોકશાહી અને બંધારણની કસોટી થાય છે.

ભાજપે જનહિતમાં કોઈ કામ કર્યું નથીઃ અખિલેશ યાદવ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આરોપ લગાવ્યો હતો કે પાંચ વર્ષથી સત્તામાં રહેવા છતાં ભાજપે જનહિતમાં કોઈ કામ કર્યું નથી. હવે ફરીથી રાજ્યમાં ભાજપનું શાસન છે, પરંતુ ભાજપે જે સમસ્યાઓ સર્જી છે તેનો દૂર દૂર સુધી ઉકેલ આવતો નથી.

સપાના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યો, ગઠબંધનના નેતાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો દ્વારા રાજ્યના પાર્ટી કાર્યાલયમાં મળ્યા હતા. આ દરમિયાન જે પણ નેતા અખિલેશને મળ્યા તેઓએ ચૂંટણી દરમિયાન પોતાના મતવિસ્તારમાં થયેલી ધમાલથી વાકેફ કર્યા અને સાથે એ પણ જણાવ્યું કે મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં  સપા સમર્થકોના નામ કાપવામાં આવ્યા.

યુપીમાં સફાઈ કર્મચારી બન્યો ભાજપનો ધારાસભ્ય
ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં ધનઘાટા સીટ પર એક સફાઈ કર્મચારીએ જીત મેળવી છે. ભાજપની ટિકિટ પર ઉત્તરપ્રદેશની ચૂંટણી લડનાર ગણેશ ચંદ્ર ચૌહાણે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અલ્ગુ પ્રસાદને 10,553 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ગણેશ ચંદ્ર ચૌહાણ એક સફાઈ કર્મચારી છે જેણે ધનઘાટા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. આ સીટ પર કોંગ્રેસે શાંતિ દેવીને અને આમ આદમી પાર્ટીએ સંતોષને મેદાનમાં ઉતાર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget