શોધખોળ કરો

Gujrat Election 2022: કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સહિત આ નેતા લડશે જંગ, જાણો કઇ બેઠક પરથી મળશે ટિકિટ

Gujrat Election 2022: કોંગ્રેસના બે પૂર્વ કેન્દ્રીય મંત્રી મિશન 2022ના ચૂંટણી જંગમાં ઉતરશે..ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિધાનસભાની ચૂંટણી લડશે.

Gujrat Election 2022:કોંગ્રેસના બે પૂર્વ કેન્દ્રીય મંત્રી મિશન 2022ના ચૂંટણી જંગમાં ઉતરશે..ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી  વિધાનસભાની ચૂંટણી લડશે. પેટલાદથી ભરતસિંહ સોલંકી ચૂંટણી લડશે.તો ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી ચૂંટણી લડશે. બંને નેતાઓને કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ ચૂંટણી લડવા આદેશ કર્યા છે.


મહીસાગરમાં  જિલ્લામાં કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી પહેલા કકળાટ આવ્યો સામે આવ્યો છે. કોંગ્રેસના નેતા પી.એમ.પટેલને ટિકિટ આપવામાં આવે તો તેને લઈને કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ  વિરોધ નોંધાવ્યો છે.અન્ય કોઈપણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે પરંતુ પી.એમ.પટેલને નહીં તેવી કાર્યકર્તાઓ માંગ કરી રહ્યાં છે. વર્ષ 2017 અને 2019 ની ચૂંટણીમાં કોંગ્રેસ માટે મત ન માગ્યા હોવાનો કાર્યકર્તાઓએ આરોપ  લગાવ્યા છે.મહીસાગર જિલ્લામાં એસ.સી એસ.ટી ઓ.બી.સી માંથી કોઈને ટિકિટ આપવા માટે કાર્યકર્તાઓએ કરી માંગ છે. મહીસાગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા નામ જાહેર નથી કરવામાં આવ્યા એ પહેલા જ કોંગ્રેસનો આંતરિક ખટરાગ સામે આવ્યો છે.જો યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો ચોક્કસપણે કોંગ્રેસ જીતશે તેવો મત કાર્યકર્તાઓએ વ્યક્ત કર્યો છે.

Gujarat Assembly Election 2022: 'લેખિતમાં આપી રહ્યો છુ, ગુજરાતમાં 5 બેઠકો પણ નહી જીતે કૉંગ્રેસ',કેજરીવાલની ભવિષ્યવાણી

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે અને રાજકીય પક્ષોની નિવેદનબાજીએ તાપમાન વધાર્યું છે. આક્ષેપો અને પ્રતિઆક્ષેપો ઉપરાંત હવે આગાહીઓ પણ થઈ રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું છે કે હું લેખિતમાં આપી રહ્યો છું,  આ વખતે કોંગ્રેસ ગુજરાતમાં પાંચ બેઠકો પણ જીતી શકશે નહીં.

કેજરીવાલે કોંગ્રેસની મજાક ઉડાવતા કહ્યું કે ગુજરાતમાં કોઈ આ જૂની પાર્ટીને ગંભીરતાથી લઈ રહ્યું નથી. ઈન્ડિયા ટુડે સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ ત્યાં 'પાંચ બેઠકો'થી ઓછી જીતશે. એમ કહીને હાથમાં કાગળ અને પેન લઈને ભવિષ્ય માટેના પુરાવા તરીકે લેખિતમાં કહ્યું, રાખજો, કોંગ્રેસ માટે ચૂંટણી પરિણામની આ મારી આગાહી છે.

કોંગ્રેસને હવે કોઈ ગંભીરતાથી લેતું નથી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે હવે કોંગ્રેસને કોણ ગંભીરતાથી લે છે ? ગુજરાતની જનતાને પરિવર્તનની જરૂર છે. જો લોકો પરિવર્તન ન ઈચ્છતા હોય, તો અમને ત્યાં કોઈ સ્થાન મળતું નથી. ત્યાં અમને આ વખતે 30 ટકા વોટ શેર મળી રહ્યા છે. લોકોના મનમાં આવેલા આ બદલાવ પર અમે પંજાબમાં સરકાર બનાવી અને હવે ગુજરાતમાં પણ કંઈક અલગ કરવાનું છે.

ગુજરાતમાં કોંગ્રેસની શરમજનક હાજરી પર વિશ્વાસ વ્યક્ત કરતા કેજરીવાલે કહ્યું કે પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં પાંચ બેઠકો પણ જીતી શકશે નહીં. ત્યાં આપણે ખાસ કરીને બીજા સ્થાને છીએ. કેજરીવાલે પેપરમાં AAP માટે કે AAPની બેઠકો વિશે કોઈ આગાહીઓ લખી નથી, પરંતુ તેમણે કહ્યું કે તેમની પાર્ટી બહુમતીમાં બીજા સ્થાને છે.

2024 માટે નહીં, હવે ગુજરાતની વાત થશે

2024ની સામાન્ય વિધાનસભાની ચૂંટણી અંગે કેજરીવાલે કહ્યું કે, "2024 બહુ દૂર છે, તેમાં સમય છે. હવે માત્ર ગુજરાતની ચર્ચા કરવાનો સમય છે. ગુજરાતમાં કોંગ્રેસના મતો કાપવા પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભાજપનો વોટ શેર  20 ટકા ઘટ્યો છે.  તેમણે કહ્યું, "આ અમારો આંતરિક સર્વે નથી. આ તમામ વોટ શેર અમારી પાસે આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી." 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે છોડવું પડશે અમેરિકા?Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગ પાણીમાં કેમ?Sthanik Swaraj Election: AAP અને કોંગ્રેસ સાથે લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી?Ahmedabad News: અમદાવાદના નિકોલના લોકોને ગટરિયા પાણીની સજા, વગર વરસાદે રસ્તાઓ પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં માત્ર આટલું રોકાણ કરો અને દીકરી બની જશે કરોડપતિ, જાણો કેવી રીતે
કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં માત્ર આટલું રોકાણ કરો અને દીકરી બની જશે કરોડપતિ, જાણો કેવી રીતે
જંક ફૂડ બાળકોને કાયમ માટે અંધ બનાવી શકે છે? જાણો કેટલું જોખમી છે!
જંક ફૂડ બાળકોને કાયમ માટે અંધ બનાવી શકે છે? જાણો કેટલું જોખમી છે!
W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
ChatGPT ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ
ChatGPT ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ
Embed widget