શોધખોળ કરો
વડોદરા બેઠક પર ભાજપના રંજનબેન ભટ્ટ આજે ઉમેદવારી પત્ર ભરશે, ચોકીદાર તરીકે કોણ બનશે ટેકેદાર, જાણો વિગત

વડોદરાઃ વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. આ સમયે તેમના ટેકેદાર તરીકે જયેશ પટેલ નામના ચોકીદાર તેમની સાથે હાજર રહેશે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે.
વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ટ્વિટ કરતા લખ્યું છે કે, ચોકીદાર મારો સમર્થક રહેશે. આજે હું વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે મારું ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહી છું, મૈં ભી ચોકીદાર મુહિમને સાર્થક કરવા માટે ચોકીદાર જયેશ પટેલ મારા સર્મથક બનશે. નરેન્દ્ર મોદીએ એક ચા વાળાને પોતાનો સમર્થક બનાવ્યો હતો. 
વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ટ્વિટ કરતા લખ્યું છે કે, ચોકીદાર મારો સમર્થક રહેશે. આજે હું વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે મારું ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહી છું, મૈં ભી ચોકીદાર મુહિમને સાર્થક કરવા માટે ચોકીદાર જયેશ પટેલ મારા સર્મથક બનશે. નરેન્દ્ર મોદીએ એક ચા વાળાને પોતાનો સમર્થક બનાવ્યો હતો. 
ઉલ્લેખયની છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભાની ચૂંટણીમાં હું ચા વાળોના મુદ્દો બનાવીને ચૂંટણી જીતી હતી અને તે વખતે મોદીએ વડોદરા લોકસભા બેઠક પર ઉમેદવારી કરતી વખતે ચા વાળા કિરણ મહિડાને ટેકેદાર તરીકે સાથે રાખ્યો હતો.
વધુ વાંચો





















