શોધખોળ કરો

શહીદ હેમંત કરકરે પર સાધ્વી પ્રજ્ઞાની ટિપ્પણી બાદ મુશ્કેલીમાં ભાજપ, નિવેદન જાહેર કરી શું કહ્યું? જાણો

ભારતીય જનતા પાર્ટીએ મુંબઈ હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરેને લઈને કરવામાં આવેલી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના વિવાદિત નિવેદનથી પોતાના અલગ કર્યા છે. પાર્ટીનું કહેવું છે કે હેમંત કરકરે આતંકવાદીઓ સાથે લડતા શહીદ થયા હતા. ભાજપે હંમેશા તેમને શહીદ માન્યા છે.

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ મુંબઈ હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરેને લઈને કરવામાં આવેલી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના વિવાદિત નિવેદનથી પોતાના અલગ કર્યા છે. પાર્ટીનું કહેવું છે કે હેમંત કરકરે આતંકવાદીઓ સાથે લડતા શહીદ થયા હતા. ભાજપે હંમેશા તેમને શહીદ માન્યા છે. આ પહેલા આઈપીએસ એસોસિએશને પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી અને ચૂંટણી પંચે તેમના નિવેદનની નોંધ લઈ તપાસની વાત કરી હતી. ભાજપે શુક્રવારે એક નિવેદન જાહેર કરી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદનથી પોતાને અલગ કર્યા હતા. પાર્ટીએ કહ્યું, ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ માનવું છે કે હેમંત કરકરે આતંકવાદીઓ સાથે લડતા વીરગતિને પ્રાપ્ત થયા હતા. ભાજપે હંમેશા તેમને શહીદ માન્યા છે. જ્યાં સુધી સાધ્વી પ્રજ્ઞાના આ સંદર્ભમાં આપવામાં આવેલા નિવેદનનો વિષય છે, તો આ તેમનું અંગત નિવેદન છે, જે વર્ષો સુધી તેમની સાથે શારીરિક અને માનસિક પરેશાનીના કારણે આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક નિવેદનમાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે 26/11 હુમલામાં શહીદ થયેલા એટીએસ ચીફ હેમંત કરકરેને તેમના કર્મોની સજા મળી. તેમના કર્મ સારા ન હતા, આથી તેઓને સંન્યાસીઓનો શ્રાપ લાગ્યો હતો. સાધ્વીએ કહ્યું કે 'જે દિવસે હું જેલમાં ગઇ તેના માત્ર 45 દિવસમાં જ આતંકીઓએ તેમનો અંત કરી નાખ્યો'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget