શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
લોકસભા ચૂંટણીમાં AAP નહીં આ પાર્ટી માટે પ્રચાર કરી શકે છે કુમાર વિશ્વાસ, પક્ષનું નામ જાણીને ચોંકી જશો....
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના અસંતુષ્ટ નેતા કુમાર વિશ્વાસ લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ભાજપે કુમાર વિશ્વાસને ભાજપનો પ્રચાર કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે, પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ સોમવારે વિશ્વાસ સાથે બેઠક કરી હતી જેમાં વિશ્વાસે કહ્યું હતું કે, આ મામલે હજુ વધુ એક બેઠક કરવી પડશે.
સૂત્રોએ એ પણ જણાવ્યું કે, ભાજપ વિશ્વાસને પૂર્વ દિલ્હી સીટથી ટિકિટ આપવા પર વિચાર કરી રહી રહ્યું છે. કારણ કે એક સારા વક્તા અને પોતાની વાકચાતુર્યથી ભીડ પર પકડ રાખવાનું એ સારી રીતે જાણે છે.
જણાવીએ કે, કુમાર વિશ્વા હાલમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત પાર્ટીના અનેક મોટા નેતાઓથી નારાજ ચાલી રહ્યા છે. કુમાર વિશ્વાસ અલગ અલગ મંચોથી કેજરીવાલ અને આપ વિરૂદધ પ્રહાર કરતા રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion