શોધખોળ કરો

Narendra Modi Oath Ceremony: શું છે તે રેકોર્ડ, જેને ઇન્દિરા ગાંધી પણ નહતી તોડી શકી ? હવે નરેન્દ્ર મોદીએ કરી દીધો ધરાશાયી

Narendra Modi Oath Ceremony: નરેન્દ્ર મોદી રવિવારે (9 જૂન) રાજધાની દિલ્હીમાં ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે

Narendra Modi Oath Ceremony: નરેન્દ્ર મોદી રવિવારે (9 જૂન) રાજધાની દિલ્હીમાં ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. બે વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવનારા ભાજપને આ વખતે તેના સાથી પક્ષો દ્વારા સત્તામાં પાછા ફરવાની તક મળી છે. જો કે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તેઓ આજે રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ પદના શપથ લેવા જઈ રહ્યા છે.

અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સહિત વિદેશી મહેમાનોનો ધસારો આજે દિલ્હી પહોંચવાનો છે. શપથ ગ્રહણ સમારોહ માટે રાજધાનીને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. જો કે એક તરફ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણની ચર્ચા છે. તેવી જ રીતે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની પણ વાત કરવામાં આવી રહી છે. તેનું કારણ ખુદ નરેન્દ્ર મોદી છે, જેમણે પહેલા વડાપ્રધાન નેહરુના રેકોર્ડની બરાબરી કરી છે.

જવાહરલાલ નહેરૂના કયા રેકોર્ડની કરી બરાબરી 
વાસ્તવમાં, નરેન્દ્ર મોદી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી સતત ત્રીજી વખત પીએમ બનનારા બીજા નેતા છે. નેહરુએ 1952, 1957 અને 1962ની સામાન્ય ચૂંટણી જીતીને સતત ત્રણ વખત વડાપ્રધાન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. લગભગ 6 દાયકા બાદ મોદીએ ફરી એકવાર આ સિદ્ધિ હાંસલ કરી છે. આવું કરનારા તેઓ પ્રથમ બિન-કોંગ્રેસી નેતા પણ છે. અત્રે નોંધનીય બાબત એ છે કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પણ પોતાની રાજનીતિની ટોચ પર હોવા છતાં આ કરી શક્યા ન હતા.

ઈન્દિરા જાન્યુઆરી 1966 થી માર્ચ 1977 સુધી ભારતના વડાપ્રધાન હતા. આ પછી, તે 14 જાન્યુઆરી 1980 ના રોજ ફરીથી વડાપ્રધાન બન્યા. જો કે મોદીએ નેહરુના એક રેકોર્ડની બરોબરી કરી હોવા છતાં તેઓ બીજો રેકોર્ડ તોડવામાં સફળ થયા નથી. નેહરુએ 1962માં તેમની ત્રીજી ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મેળવી હતી. 2024ની સામાન્ય ચૂંટણીમાં મોદીની ભાજપે 240 બેઠકો જીતી છે, જે બહુમતીના આંકડા કરતાં 32 ઓછી એટલે કે 272 બેઠકો હતી. આ કારણે તે પોતાના સહયોગીઓની મદદથી સરકાર બનાવી રહી છે.

જવાહરલાલ નેહરૂનો શું છે રેકોર્ડ ? 
જવાહરલાલ નેહરુએ 1947 થી 1964 સુધીના 16 વર્ષ અને 286 દિવસના સમયગાળા માટે ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. પહેલા 1951-52ની સામાન્ય ચૂંટણીમાં, પછી 1957 અને 1962ની ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળી અને નેહરુ વડાપ્રધાન તરીકે ચૂંટાયા. 1962માં ભારતમાં 19 થી 25 ફેબ્રુઆરી વચ્ચે સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી.

તેની ત્રીજી ચૂંટણીમાં નેહરુની આગેવાની હેઠળની કોંગ્રેસ 44.7 ટકા મતો અને 494 બેઠકોમાંથી 361 બેઠકો જીતીને મોટી બહુમતી સાથે સત્તામાં પાછી આવી. 1962માં બહુમત માટે 248 સીટોની જરૂર હતી. જો કે, મે 1964માં તેમના ત્રીજા કાર્યકાળની મધ્યમાં નેહરુનું અવસાન થયું.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget