શોધખોળ કરો

હાર્દિક પંડ્યાની પ્રસંશા કરી ફસાયો રણવીર સિંહ, WWE સ્ટાર બ્રોક લેસ્નરના વકીલે મોકલી કાનૂની નોટીસ

WWEના જાણીતા રેસલર બ્રોક લેસનરના વકીલ પોલ હેમૈને બોલીવૂડ અભિનેતા રણવીર સિંહને ફ્રેઝ (વાક્ય)નો ઉપયોગ કરવાને લઈને કાનૂની નોટીસ મોકલી છે.

નવી દિલ્હી: WWEના જાણીતા રેસલર બ્રોક લેસનરના વકીલ પોલ હેમૈને બોલીવૂડ અભિનેતા રણવીર સિંહને ફ્રેઝ (વાક્ય)નો ઉપયોગ કરવાને લઈને કાનૂની નોટીસ મોકલી છે. તેમણે ટ્વિટર પર એક ટ્વીટ કરીને કહ્યું મે ચેતવણી નથી આપી, પરંતુ મે નોટીસ મોકલી છે. તેમણે પોતાના ટ્વિટમાં એ પણ કહ્યું કે તેઓ મેનેજર નથી, પરંતુ વકીલ છે અને તેઓ ઈતિહાસના સૌથી સારા વકીલ છે. હાર્દિક પંડ્યાની પ્રસંશા કરી ફસાયો રણવીર સિંહ, WWE સ્ટાર બ્રોક લેસ્નરના વકીલે મોકલી કાનૂની નોટીસ આઈસીસી વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન મેચ દરમિયાન રણવીર સિંહ મૈનચેસ્ટરના ઓલ્ડ ટ્ર્રૈફર્ડ મેદાનમાં હતો. ત્યાં તેણે ઘણા ખેલાડીઓ સાથે તસવીર પડાવી હતી અને કોમેન્ટ્રી બોક્સમાં પણ જોવા મળ્યો હતો. બાદમાં રણવીરે ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં હાર્દિક પંડ્યાની સાથેની તસવીર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, 'ઈટ. સ્લીપ. ડોમિનેટ. રિપીટ. અને આનું નામ હાર્દિક પંડ્યા છે'. આ ફ્રેઝ (વાક્ય)નો ઉપયોગ કરવાને લઈને પહેલા તો બ્રોક લેસનરના વકીલ પોલે ટ્વીટ પર ગુસ્સામાં તેને જવાબ આપ્યો અને હવે તેણે રણવીરને કાનૂની નોટીસ મોકલી છે. ઉલ્લેખનીય છે કે રણવીરને આ નોટીસ મળી છે કે નહી તેને લઈને અત્યાર સુધી કોઈ જાણકારી નથી. ઉલ્લેખનીય છે કે આ ફ્રેઝ (વાક્ય)નો ઉપયોગ બ્રોક લેસનર માટે કરવામાં આવે છે. તેના માટે બોલવામાં આવતું ફ્રેઝ (વાક્ય) આ પ્રમાણે છે, 'ઈટ. સ્લીપ. કન્ક્યૂર, રિપીટ.' બ્રોક લેસનરના વકીલ પોલનું કહેવું છે કે આ ફ્રેઝ (વાક્ય) પર તેનો કોપિરાઈટ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget