બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઓમ પુરીનું ગઈ કાલે નિધન થયું. સવારે ઘરમાં હાર્ટ અટેક આવતા 66 વર્ષે તેમનું અવસાન થયું હતું. સાંજે ઓમ પુરીના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું. જ્યાં બોલીવુડની તમામ હસ્તીઓ પહોંચી હતી. જે પછી ઓમ પુરીના પાર્થિવ દેહને ઓશિવરા સ્મશાન સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સાંજે 6: 45 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. (તસવીર: ઓમ પુરીના પત્ની નંદિતા પુરી)