શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ડૉક્ટરો પર હુમલા કરનારાઓ પર ભડક્યો અજય દેવગન, બોલ્યો- આ લોકોને તો......
ડૉક્ટરો સાથેના અભદ્ર વ્યવહાર પર અજય દેવગને ગુસ્સા કાઢતા આવા લોકોને દેશના ગુનેગારો ગણાવ્યા છે. અજય દેવગને એક ટ્વીટ કરીને પોતાનો મત આપ્યો છે
![ડૉક્ટરો પર હુમલા કરનારાઓ પર ભડક્યો અજય દેવગન, બોલ્યો- આ લોકોને તો...... ajay devgn is angry on man who getting humiliated to doctors ડૉક્ટરો પર હુમલા કરનારાઓ પર ભડક્યો અજય દેવગન, બોલ્યો- આ લોકોને તો......](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/28180101/ajay-devgn.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ કોરોના વાયરસ જેવી મહામારી વિરુદ્ધ દેશના ડૉક્ટરો પોતાના જીવના જોખમે સેવા આપી રહ્યાં છે, દેશના કેટલાક સ્થળો પર લોકો દ્વારા ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પર હુમલાઓ થઇ રહ્યાં છે. આવી ઘટનાઓને લઇને હવે બૉલીવુડ એક્ટર અજય દેવગને પોતાના ગુસ્સો ઠાલવ્યો છે.
ડૉક્ટરો સાથેના અભદ્ર વ્યવહાર પર અજય દેવગને ગુસ્સા કાઢતા આવા લોકોને દેશના ગુનેગારો ગણાવ્યા છે. અજય દેવગને એક ટ્વીટ કરીને પોતાનો મત આપ્યો છે.
અજય દેવગને ટ્વીટ કરતાં લખ્યું કે, કેટલાક એવા રિપોર્ટ જોઇ ચૂક્યો છુ, જેમાં ભણેલા-ગણેલા લોકો પણ પોતાના આડોશ-પાડોશમાં ડૉક્ટરો પર પાયાવિહોણી ધારણાઓના કારણે હુમલો કરી રહ્યાં છે. આ વાત જાણીને બહુ જ ગુસ્સો આવી રહ્યો છે. આવા અસંવેદનશીલ લોકો સૌથી ખતરનાક હોય છે. બધા ઘરે રહો સુરક્ષિત રહો.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશના અલગ અલગ વિસ્તારોમાંથી ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પરના હુમલાઓની ઘટના સામે આવી રહી છે. આના કેટલાક વીડિયો પર વાયરલ થઇ રહ્યાં છે. જેને લઇને બૉલીવુડ સેલિબ્રિટીઝઓ પોતાનો ગુસ્સો ઠાલવી રહી છે.
![ડૉક્ટરો પર હુમલા કરનારાઓ પર ભડક્યો અજય દેવગન, બોલ્યો- આ લોકોને તો......](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/11002344/Doctor-death-300x216.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)