![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sonu Sood tests positive : કોરોના કાળમાં પ્રવાસી શ્રમિકોને મદદ કરનારો આ એક્ટર કોરોના પોઝિટિવ
સોનુએ કહ્યું, નમસ્કાર મિત્રો, તમને બધાને કહેવા માગું છું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં પોતાને ક્વોરન્ટીન કરી લીધો છે. ચિંતાની જેવું કઈ નથી. ઉલ્ટાનું મારા પાસે તમારા માટે હવે વધારે સમય છે. યાદ રાખજો, હું હંમેશાં તમારા સાથે જ છું.
![Sonu Sood tests positive : કોરોના કાળમાં પ્રવાસી શ્રમિકોને મદદ કરનારો આ એક્ટર કોરોના પોઝિટિવ Coronavirus Update: Actor Sonu Sood tested positive for coronavirus, says his mood and spirit is positive Sonu Sood tests positive : કોરોના કાળમાં પ્રવાસી શ્રમિકોને મદદ કરનારો આ એક્ટર કોરોના પોઝિટિવ](https://static.abplive.com/wp-content/uploads/sites/2/2020/07/18231954/sonu-p.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ અમિતાભથી લઈ આલિયા સુધીના અનેક સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન પ્રવાસી શ્રમિકો માટે મસીહા બનેલા એક્ટર સોનુ સૂદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોનુએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે.
સોનુએ કહ્યું, નમસ્કાર મિત્રો, તમને બધાને કહેવા માગું છું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં પોતાને ક્વોરન્ટાઈન કરી લીધો છે. ચિંતાની વાત જેવું કઈ નથી. ઉલ્ટાનું મારા પાસે તમારા માટે હવે વધારે સમય છે. યાદ રાખજો, હું હંમેશાં તમારા સાથે જ છું.
પંજાબનો બ્રાન્ડ એમ્બેેસેડર
સોનુ સૂદને પંજાબ સરકાર દ્વારા કોરોના વેક્સિનેશન ડ્રાઈવ માટે બ્રાન્ડ-એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. હું આ માટે તેમને અભિનંદન આપું છું.’ સોનુ સૂદના બ્રાન્ડ-એમ્બેસડર બનવાથી કોરોના વેક્સિનેશનને લઈને વધારે જાગૃતિ આવશે. હું રાજ્યના તમામ લોકોને અપીલ કરું છું કે વહેલી તકે તેઓ વેક્સિન લઈ લે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,34,692 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1341 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,23,354 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 45 લાખ 26 હજાર 609
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 26 લાખ 71 હજાર 220
કુલ એક્ટિવ કેસ - 16 લાખ 79 હજાર 740
કુલ મોત - 1 લાખ 75 હજાર 649
11 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 99 લાખ 37 હજાર 641 ડોઝ આપવામાં આવ્યા છે.
Gujarat Lockdown: કોરોનાની ચેઈન તોડવા દક્ષિણ ગુજરાતમાં શું શું છે બંધ ? જાણો વિગત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)