શોધખોળ કરો

Money Laundering Case: જેકલિન ફર્નાન્ડિઝને દુબઇ જવાની કોર્ટે આપી મંજૂરી, રાખી આ શરતો

નોંધનીય છે કે જેકલિન દુબઈમાં પેપ્સિકો ઈન્ડિયા કોન્ફરન્સમાં ભાગ લેવાની છે

Money Laundering Case:  200 કરોડના સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં આરોપી બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસને આજે દિલ્હી કોર્ટમાંથી મોટી રાહત મળી છે. હકીકતમાં અભિનેત્રીએ દુબઈ જવાની પરવાનગી માંગતી અરજી કરી હતી, જેને કોર્ટે મંજૂર કરી છે. જોકે કોર્ટે અભિનેત્રીને દુબઈ જવાની મંજૂરી સાથે કેટલીક શરતો પણ મુકી છે.

નોંધનીય છે કે જેકલિન દુબઈમાં પેપ્સિકો ઈન્ડિયા કોન્ફરન્સમાં ભાગ લેવાની છે. આ કાર્યક્રમ 29 ફેબ્રુઆરીએ યોજાનાર છે. આ માટે જેકલિને કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે તેને દુબઈમાં યોજાનાર કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 29 જાન્યુઆરી, રવિવારના રોજ નિર્ધારિત કોન્સર્ટમાં તેમને સ્ટાર પરફોર્મર તરીકે બોલાવવામાં આવી છે. જેકલિનની અરજી પર આજે કોર્ટમાં સુનાવણી થઈ હતી જે બાદ તેને શરત સાથે દુબઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી.

કોર્ટે કહ્યું હતું કે જેકલિન ફર્નાન્ડિસ તેના વિદેશ પ્રવાસ દરમિયાન ક્યાં રોકાશે તેની માહિતી આપવી પડશે. કોર્ટે કહ્યું હતું કે કોર્ટે 1 કરોડની ફિક્સ ડિપોઝીટ કરવાની શરત મૂકી છે. કેસની આગામી સુનાવણી 15 ફેબ્રુઆરીએ થશે.

સુનાવણી દરમિયાન જજે કહ્યું કે અમે જાણીએ છીએ કે જેકલિન પર ગંભીર આરોપો છે. કોર્ટમાં સુનાવણી નિર્ણાયક તબક્કે છે. જેકલિન ફર્નાન્ડિસને પ્રતિષ્ઠિત એવોર્ડ ઓસ્કાર માટે પણ નોમિનેટ કરવામાં આવી છે. તેથી જ જેકલિનને શરતો સાથે દુબઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. જેકલિને 27 થી 30 જાન્યુઆરી સુધી દુબઈ જવાની પરવાનગી માંગી હતી. હવે આ મામલે આગામી સુનાવણી 15 ફેબ્રુઆરીએ થવાની છે.

જેકલીને મહાઠગ સુકેશ પર આ આરોપો લગાવ્યા છે

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ 18 જાન્યુઆરીએ કોર્ટમાં હાજર થઈ હતી. આ દરમિયાન તેણે 200 કરોડની મની લોન્ડરિંગના આરોપી સુકેશ ચંદ્રશેખર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અભિનેત્રી જેકલીને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સુકેશે તેની લાગણીઓ સાથે રમત રમી તેનું જીવન નર્ક બનાવી દીધું અને તેની કારકિર્દી પણ બરબાદ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેક્લિને દાવો કર્યો હતો કે સુકેશે તેને સન ટીવીના માલિક તરીકે ઓળખાણ આપી હતી અને એ પણ કહ્યું હતું કે તે તમિલનાડુના સ્વર્ગસ્થ સીએમ જયલલિતાના સંબંધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget