શોધખોળ કરો

એકતા કપૂર અને તુષાર કપૂરે હજુ સુધી કેમ નથી કર્યા લગ્ન, જીતેન્દ્રની પુત્રીએ પોતે જ જણાવ્યું કારણ

Ekta Kapoor Wedding: પ્રખ્યાત ટીવી નિર્માતા એકતા કપૂર અને તેના ભાઈ તુષાર કપૂર બંનેએ આજ સુધી લગ્ન કર્યા નથી. એકતાએ તાજેતરમાં જ કારણ જાહેર કર્યું.

Ekta Kapoor Wedding: ટીવી ક્વીન તરીકે જાણીતી એકતા કપૂરે પોતાની લગભગ 30 વર્ષની કારકિર્દીમાં ઇન્ડસ્ટ્રીને એકથી ચઢિયાતી એક સીરિયલ્સ આપી છે. એકતા તેની સીરિયલ્સના કારણે તો લાઈમલાઈટમાં રહે જ છે, પરંતુ તેની પર્સનલ લાઈફને કારણે પણ તે ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. એકતાના લગ્ન લોકો માટે સૌથી મોટો 'ટોક ઓફ ધ ટાઉન' વિષય રહ્યો છે, જોકે તેણે ક્યારેય આવા સવાલોને મહત્વ આપ્યું નથી.

એકતાનું પ્રથમ પોડકાસ્ટ

તાજેતરમાં એકતા કપૂર ઉષા કાકડેના પોડકાસ્ટ 'Known Unknown' માં સામેલ થઈ હતી. આ દરમિયાન તેણે પોતાની કરિયરથી લઈને ટીવી શો અને કાસ્ટિંગ વિશે ખુલીને વાત કરી. આ જ પોડકાસ્ટમાં પહેલીવાર એકતાએ ખુલાસો કર્યો કે તેણે અને તેના ભાઈ તુષારે આજ સુધી લગ્ન કેમ નથી કર્યા. એકતાએ જણાવ્યું કે લગ્ન કરતા કામમાં વ્યસ્ત રહેવું તેમને વધુ યોગ્ય લાગ્યું, તેથી બંને ભાઈ-બહેને લગ્ન કર્યા નથી.

પિતા બન્યા પ્રેરણા

એકતાએ જણાવ્યું કે જ્યારે તે 18 કે 19 વર્ષની હતી ત્યારે તેના પિતા જિતેન્દ્રએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "કંઈક કામ કર, નહીંતર હું તારા લગ્ન કરાવી દઈશ." પપ્પાની આ જ વાત એકતા માટે પ્રેરણા બની ગઈ અને તેણે લગ્નથી બચવા માટે કામ કરવાનું શરૂ કરી દીધું. એકતાએ કહ્યું, "તે સમયે હું મારી જિંદગીનો ભરપૂર આનંદ માણી રહી હતી. મારા મગજમાં બસ એ જ હતું કે મારે કામ કરવું છે અને કોઈ પણ સંબંધ કે બંધનમાં પડવું નથી."

ભાઈ-બહેન બંનેનો એક જ નિર્ણય

માત્ર એકતા જ નહીં પરંતુ તેના ભાઈ તુષાર કપૂરે પણ લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હતો. બંને ભાઈ-બહેન કામમાં એટલા ડૂબી ગયા કે તેમને લગ્નનો વિચાર પણ ન આવ્યો. એકતાએ જણાવ્યું કે એકવાર આ બાબતે જિતેન્દ્ર સાથે ખુલીને વાત થઈ હતી અને તેના પિતાએ કહ્યું હતું કે, "તમારા બંનેમાંથી કોઈ એક તો લગ્ન કરો." ત્યારે એકતાએ તેમને પૂછ્યું કે તેઓ આવું કેમ ઈચ્છે છે, તો જવાબ મળ્યો - "બાળક". આથી, એકતા અને તુષાર બંનેએ પોતાના માતા-પિતાને પૌત્ર-પૌત્રી આપી દીધા અને લગ્ન વગર જ માતા-પિતા બનવાનું નક્કી કર્યું.

તમને જણાવી દઈએ કે એકતા કપૂરને એક દીકરો છે જેનું નામ તેણે રવિ રાખ્યું છે. આ નામ તેણે તેના પિતા જિતેન્દ્રના નામ પરથી રાખ્યું છે, કારણ કે અભિનેતા જિતેન્દ્રનું સાચું નામ રવિ જ છે. બીજી તરફ, તુષાર કપૂરને પણ એક દીકરો છે જેનું નામ લક્ષ્ય છે. બંને ભાઈ-બહેને આ માટે સરોગસી (ટેસ્ટટ્યુબ મેથડ) નો ઉપયોગ કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

વિડિઓઝ

Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન
PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Embed widget