શોધખોળ કરો

Kartik Aaryan Injured: કાર્તિક આર્યન શૂટિંગ દરમિયાન થયો ઘાયલ, અભિનેતા 'શેહજાદા'ના સેટ પર પહોંચી ઇજા

Shehzada: એક્ટર કાર્તિક આર્યનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ 'શહેજાદા'ના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે અને તેને ઘૂંટણમાં ઈજા થઈ છે.

Kartik Aaryan Injured On Shehzada Set: બોલીવુડના જાણીતા કલાકાર કાર્તિક આર્યન વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તે જાણીને તેના ચાહકોને ચોક્કસથી આંચકો લાગશે. ફિલ્મ 'શહેજાદા'ના શૂટિંગ દરમિયાન કાર્તિક એક નાનકડા અકસ્માતનો શિકાર બન્યો છે.  જેના કારણે 'ભૂલ ભૂલૈયા 2' સ્ટાર કાર્તિક આર્યનને ઘૂંટણમાં ઈજા થઈ છે. આ બાબતની માહિતી કાર્તિક આર્યન દ્વારા પોતે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

કાર્તિક આર્યન થયો ઘાયલ

કાર્તિક આર્યને સોમવારે મોડી રાત્રે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર શેર કરતા જણાવ્યું કે તેને ઈજા થઈ છે. કાર્તિક આર્યનની આ ઇન્સ્ટા પોસ્ટમાં તમે જોઈ શકો છો કે અભિનેતા બરફથી ભરેલી ડોલમાં ડાબો પગ રાખીને બેઠો છે. ઉપરાંત તેના ઘૂંટણની પાછળના કાફ મસલ્સ પર વાદળી પેચ લગાવેલો જોવા મળી રહ્યો છે. આ સાથે કાર્તિક આર્યને ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે- 'ડાન્સ કરતી વખતે ઘૂંટણ તૂટી ગયો, વર્ષ 2023ની આઈસ બકેટ ચેલેન્જ હવે શરૂ થઈ રહી છે.' આવી સ્થિતિમાં કાર્તિક આર્યનની આ ઇન્સ્ટા પોસ્ટ પરથી અનુમાન લગાવી શકાય છે કે તેની ઈજા બહુ ગંભીર નથી, બીજી તરફ, કાર્તિક આર્યનનો આ ફોટો જોઈને તેના ચાહકો અભિનેતાના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

'શહેજાદા' ક્યારે રિલીઝ થઈ રહી છે?

કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ 'શહેજાદા'નું ટ્રેલર 12 જાન્યુઆરીએ રિલીઝ થશે. કાર્તિક આર્યનની આ એક્શન પેકેજ થ્રિલર ફિલ્મની તમામ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કાર્તિકની 'શહેજાદા'ની રિલીઝ ડેટ જુઓ તો આ ફિલ્મ આવતા મહિને 10 ફેબ્રુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન ઉપરાંત બોલિવૂડની જાણીતી અભિનેત્રી કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં છે. જાણવા મળે છે કે આ પહેલા 'શહેજાદા'નું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: શેલામાં પૂર્વ મંગેતરને કારથી કચવાનો પ્રયાસ કરનાર મહિલા અને તેના પતિની પોલીસે કરી ધરપકડNadiad News | નડિયાદમાં જીરા સોડા પીધા બાદ 3 લોકોના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસોSwaminarayan Sadhu Controversy: સુરતમાં મીડિયા સમક્ષ જ્ઞાનપ્રકાશના સાધકોની દાદાગીરીRahul Gandhi To Visit Gujarat: કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
Post Office Best Scheme:  પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Post Office Best Scheme: પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Embed widget