શોધખોળ કરો

ઈઝરાયલથી પરત ફરી Nushrratt Bharuccha, એરપોર્ટ પર પરેશાન જોવા મળી, જાણો મીડિયાને શું કહ્યું ?  

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલી બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાને લઈને સતત અપડેટ્સ આવી રહ્યા છે. શનિવારથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

Nushrratt Bharuccha: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલી બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાને લઈને સતત અપડેટ્સ આવી રહ્યા છે. શનિવારથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ સ્થિતિમાં, જ્યારથી અભિનેત્રી વિશે આ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, ત્યારથી તેના ચાહકો નુસરત ભરુચા સુરક્ષિત રીતે દેશમાં પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

નુસરત ભરૂચા ભારત પરત ફરી

નુસરત ભરૂચા ભારત પરત ફરી છે. અભિનેત્રી એરપોર્ટ પર જોવા મળી હતી.  નુસરત ભરુચા મુંબઈ એરપોર્ટ પર ઉતરી હતી.  સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અભિનેત્રી એરપોર્ટની બહાર નીકળતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં નુસરત ખૂબ જ પરેશાન જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે મીડિયા સાથે વાત ન કરી અને માત્ર એટલું જ કહ્યું કે, 'હું અત્યારે ખૂબ જ પરેશાન છું, મને ઘરે પહોંચવા દો.' તમને જણાવી દઈએ કે અભિનેત્રીની ફ્લાઈટ કનેક્ટિંગ હતી. નુસરત દુબઈ થઈને આવી છે.

હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગઈ હતી

તમને જણાવી દઈએ કે અભિનેત્રી ત્યાં 'હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'માં ભાગ લેવા ગઈ હતી. આ ફિલ્મ ફેસ્ટિવલમાં નુસરત ભરૂચાની ફિલ્મ 'અકેલી' બતાવવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન ત્યાં યુદ્ધ થયું અને નુસરત ત્યાં જ ફસાઈ ગઈ હતી.

અભિનેત્રીની ટીમે માહિતી આપી હતી

અભિનેત્રીની ટીમે  માહિતી આપી હતી. નુસરતની ટીમ ગત દિવસથી તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ તેનો અભિનેત્રી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આવી સ્થિતિમાં તેની ટીમ નર્વસ થઈ ગઈ. અભિનેત્રીની ટીમનું કહેવું છે કે ગઈ કાલે બપોરે 12.30 વાગ્યે નુસરતનો છેલ્લે સંપર્ક થયો હતો. તે સમયે તે બેઝમેન્ટમાં હતી અને સંપૂર્ણપણે સુરક્ષિત હતી.

આ સમગ્ર મામલો છે

તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે સવારે લગભગ 8 વાગ્યે પેલેસ્ટિનિયન સંગઠન હમાસે માત્ર 20 મિનિટમાં ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા. આ રોકેટ રહેણાંક મકાનો પર પડ્યા, જેમાં 300 થી વધુ લોકોના મોત થયા. શનિવારથી ગાઝાના વિવિધ ભાગોમાં બોમ્બમારો ચાલી રહ્યો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન બંનેના સેંકડો નાગરિકો માર્યા ગયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget