શોધખોળ કરો

Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી

Ram Mandir Dhwajarohan: સવાર પડતાંની સાથે જ અયોધ્યાના રસ્તાઓ, ઘાટો અને મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટવા લાગી. 25 નવેમ્બરના રોજ થનાર ધ્વજા રોહણના કાર્યક્રમની મહિનાઓ પહેલા તૈયારી ચાલી રહી હતી. આજે રામ મંદિરના નિર્માણની પૂર્ણાહૂતિના ભાગ રૂપે પીએમ મોદીઓ આ ધ્વજરોહણ કર્યું.

Ram Mandir Dhwajarohan:સદીઓથી રાહ જોવાતી ક્ષણ આખરે ફળીભૂત થઈ ગઈ છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર હવે સંપૂર્ણ રીતે તૈયાર થઇ ગયું છે. મંગળવારે, એક શુભ મુહૂર્તમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના શિખર પર ભગવો ધ્વજ ફરકાવ્યો. વડા પ્રધાને રિમોટ કંટ્રોલનો ઉપયોગ કરીને ત્રણ કિલોગ્રામનો ધ્વજ ફરકાવ્યો. ભવ્ય સમારોહ દરમિયાન, મંદિર પરિસર "જય શ્રી રામ" ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. પીએમ મોદી સહિત સંતો અને પ્રતિષ્ઠિત મહેમાનોએક્ષણના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. આ અવસરે પીએમ મોદીએ પ્રારંભિક સંબોધન કરતા આ ઘડીને સપનાને સાકાર કરતી અમુલ્ય ક્ષણ ગણાવી.

આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી

રામ મંદિર પર ધ્વજ ફરકાવ્યા પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, "આજે, સમગ્ર વિશ્વ ભગવાન રામની દિવ્ય હાજરી અનુભવી રહ્યું છે. ભગવાન રામના દરેક ભક્તના હૃદયમાં સંતોષ અને અપાર દિવ્ય આનંદની ભાવના રૂપે બિરાજિત છે. તેમણે કહ્યું, "સદીઓના દુઃખનો આજે અંત આવી રહ્યો છે. સદીઓના સંકલ્પ સાકાર થઈ રહ્યા છે. ધ્વજ ફરકાવ્યા પછી પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ધર્મ ધ્વજ આપણને શ્રી રામના દૂરથી દર્શન કરવાની તક આપશે. તેમણે ઉમેર્યું કે સદીઓ જૂના ઘા રૂઝાઈ રહ્યા છે. 25 નવેમ્બરનો ઐતિહાસિક દિવસ આપણા વારસામાં ગૌરવની બીજી એક અદ્ભુત ક્ષણ લાવે છે. આ ધ્વજ સત્યના વિજયનું પ્રતીક છે.પીએ મોદીએઅવસરે કહ્યું કે, સદીઓના સંકલ્પની આ સિદ્ધિ છે. સદીઓનાસપનાને સાકાર થવાની આ દિવ્ય ક્ષણ છે

આ કાર્યક્રમ માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની શુભ પંચમીના રોજ, શ્રી રામ અને સીતાના અભિજિત મુહૂર્ત ( વિવાહ પંચમી) દરમિયાન યોજાયો હતો. ભગવો ધ્વજ 22 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો છે. તેમાં અંકિત તેજસ્વી સૂર્ય ભગવાન રામના તેજ અને બહાદુરીનું પ્રતીક છે. તેમાં કોવિદાર વૃક્ષની છબી છે તેમજ આ સાથે "ઓમ" લખેલું છે. ધ્વજનો કેસરિયા રંગ બલિદાન અને ભક્તિનું પ્રતીક છે. તે ત્રિકોણાકાર આકારનો છે.

સંતો અને ભક્તોએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. 25 નવેમ્બરના રોજ ધ્વજવંદન સમારોહની તૈયારીઓ એક મહિનાથી ચાલી રહી હતી. આજે રામ મંદિરના નિર્માણ સંપૂર્ણ કાર્ય પૂર્ણ થતાં આખું અયોધ્યા શહેર આધ્યાત્મિક ઉત્સાહ અને ભક્તિમાં ડૂબી ગયું છે.. સંતો અને ભક્તોએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવીને મંદિર સંકુલ અને આસપાસના વિસ્તારોમાં વિશેષ પ્રાર્થના પૂજા કરી હતી.

આ ક્ષણ તીવ્ર તપસ્યા પછી આવી છે: સ્વામી નરોત્તમંદ ગિરી

સવાર થતાં જ ભક્તો શેરીઓ, ઘાટો અને મંદિરોમાં ભેગા થવા લાગ્યા હતા રાયબરેલીના દાલમાઉથી આવેલા સ્વામી નરોત્તમંદ ગિરીએ કહ્યું, "આજનો ખૂબ જ ભાગ્યશાળી નો દિવસ છે. આ ક્ષણ તીવ્ર તપસ્યા પછી આવી છે, અને ધ્વજારોહણમાં ભાગ લેવો મારા માટે એક મહાન સૌભાગ્ય છે."

95 વર્ષીય સંત દેવેન્દ્રનંદ ગિરી ભાવુક દેખાતા હતા

95 વર્ષીય સંત દેવેન્દ્રનંદ ગિરી, જેઓ રામ મંદિર ચળવળના પ્રારંભિક તબક્કામાં સામેલ હતા, ભાવુક દેખાતા હતા. તેમણે કહ્યું કે, તેમણે ક્યારેય તેમના જીવનમાં આ દિવસ જોવાની અપેક્ષા નહોતી રાખી. "આ ઉંમરે મંદિરનું નિર્માણ પૂર્ણ થતું જોઈને મને અપાર આનંદ થાય છે."

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget