શોધખોળ કરો

Jawan Box Office Collection: શાહરુખે આ મામલે કરી દિગ્ગજ અભિનેતા રાજ કપુરની બરાબારી, કિંગ ખાનની ફિલ્મે બનાવ્યો અનોખો રેકોર્ડ

Jawan Box Office Collection:  શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' એક પછી એક નવો ઈતિહાસ રચી રહી છે. આ ફિલ્મ કિંગ ખાન માટે વરદાનથી ઓછી નથી.

Jawan Box Office Collection:  શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' એક પછી એક નવો ઈતિહાસ રચી રહી છે. આ ફિલ્મ કિંગ ખાન માટે વરદાનથી ઓછી નથી. 'જવાન' 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ અગાઉ 'પઠાણ'એ પણ મોટુ કલેક્શન કર્યું હતું. જે બાદ હવે શાહરૂખ ખાનના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે.

આ વર્ષે કિંગ ખાનની બે ફિલ્મો રિલીઝ થઈ છે અને બંને ફિલ્મોએ સૌથી વધુ કમાણી કરનારનો ખિતાબ જીત્યો છે. આ સાથે શાહરૂખ ખાન એવો બીજો અભિનેતા બની ગયો છે જેની એક વર્ષમાં રિલીઝ થયેલી બે ફિલ્મોએ સૌથી વધુ કલેક્શન કર્યું છે. આ પહેલા આ રેકોર્ડ રાજ કપૂરના નામે હતો જેમની બે ફિલ્મો 'બરસાત' અને 'અંદાઝ'એ બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારનું બિરુદ નોંધાવ્યું હતું.

એક વર્ષમાં ઓલ ટાઈમ ગ્રોસર ફિલ્મો
તમને જણાવી દઈએ કે 'જવાન'એ અત્યાર સુધી ઘરેલુ બોક્સ ઓફિસ પર 584.32 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મનું કુલ વર્લ્ડવાઈડ કલેક્શન પણ 1043.21 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. 'પઠાણ' વિશે વાત કરીએ તો, આ ફિલ્મ આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી, જેણે સ્થાનિક બોક્સ ઓફિસ પર 540.51 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને વિશ્વભરમાં 1047 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ રીતે, શાહરૂખ ખાનની બે ફિલ્મોએ મળીને એક વર્ષમાં વિશ્વભરમાં 2000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

કિંગ ખાને કરી રાજ કપૂરની બરાબરી
'જવાન' અને 'પઠાણ'ના કલેક્શનથી શાહરૂખ ખાન દિવંગત પીઢ અભિનેતા રાજ કપૂરની બરાબરી પર આવી ગયો છે. 1949માં રાજ કપૂરની બે ફિલ્મો 'બરસાત' અને 'અંદાઝ' રિલીઝ થઈ હતી, જેણે એક વર્ષમાં સૌથી વધુ કમાણી કરી હતી. આ રીતે, રાજ કપૂર એક વર્ષમાં બે ઓલ ટાઈમ ગ્રોસર ફિલ્મો આપનાર પ્રથમ અભિનેતા બન્યા.

શું 'ડંકી' દ્વારા રાજ કપૂરનો રેકોર્ડ તોડશે?
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની ત્રીજી ફિલ્મ 'ડંકી' પણ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ડંકી' 22 ડિસેમ્બરે રિલીઝ થશે અને જો તે 'પઠાણ' અને 'જવાન'ની જેમ 1000 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરશે તો શાહરૂખ ખાન રાજ કપૂરને પાછળ છોડીને એક વર્ષમાં ત્રણ ઓલ ટાઈમ ગ્રોસર ફિલ્મો આપનાર પહેલો અભિનેતા બની જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Kheda: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મીની બસમાં આગ લાગતાં જ અફરાતફરી માહોલ સર્જાયો.Surat: લિંબાયત પોલીસે શહેરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને ભણાવ્યા કાયદાના પાઠBhupatsinh Jadeja | પી.ટી.એ રાજીનામું આપી જ દેવું જોઈએ.. હાલક ડોલક કરી સમાજને બદનામ કરે છેGeniben Thakor |જે ભેદભાવ રાખે એની સામે ભેદભાવ રાખવાનો અને રાખવાનો જ..| ગેનીબેનનો હુંકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Embed widget