દીપિકા કક્કડ થઇ ભાવુક, ફેન્સને પ્રાર્થના કરવા કરી અપીલ, ફરી કેન્સરની વાપસી
Dipika health update:દીપિકા કક્કરને અચાનક જ પેટમાં દુખાવો થતાં તેમને તાબડતોબ હોસ્પિટલ જવાની ફરજ પડી હતી. બે દિવસ સુધી પેટમાં દુખાવા પછી, સીટી સ્કેન કરવામાં આવ્યું હતું.

Dipika health update:ટીવી અભિનેત્રી દીપિકા કક્કર ફરી એકવાર તેના સ્વાસ્થ્યને લઈને ચર્ચામાં છે. મે 2025 માં, તેમને લીવર કેન્સર હોવાનું નિદાન થયું હતું, જેના પછી તેમણે સર્જરી કરાવી હતી. જે 14 કલાક ચાલી હતી. હવે, તેના પેટમાં એક નાનો સિસ્ટ મળી આવ્યો છે. તેના પતિ, શોએબ ઇબ્રાહિમે, તેના યુટ્યુબ વ્લોગ પર ચાહકોને અપડેટ કરતા જણાવ્યું હતું કે દીપિકા આગામી મંગળવારે એક નાની સર્જરી કરાવશે.
પેટમાં દુખાવા પછી સીટી સ્કેન
21 ફેબ્રુઆરીના રોજ, દીપિકા હોસ્પિટલમાં જોવા મળી હતી કારણ કે તેમણે છેલ્લા બે દિવસથી પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. શોએબે તેના વ્લોગમાં સમજાવ્યું કે, શરૂઆતમાં બધું બરાબર લાગતું હતું, પરંતુ રાત્રે દુખાવો વધુ પીડાદાયક બન્યો હતો. જેના કારણે તેમને ડૉક્ટર પાસે જવાની ફરજ પડી. ડૉક્ટરે સીટી સ્કેન કરાવવાની ભલામણ કરી. સ્કેનથી એક નાનો ફોલ્લો દેખાયો, જેનો વ્યાસ લગભગ ૧.૩ સેન્ટિમીટર હતો. ફોલ્લો નાનો છે, પરંતુ બંને બે દિવસથી પેટ અને ખભામાં દુખાવો અનુભવી રહ્યી હતી, જેના કારણે તેઓ ઘણી ચિંતામાં હતા.
રિપોર્ટ સામાન્ય છે, પરંતુ ડર હજુ પણ છે
દીપિકાએ સમજાવ્યું કે ડોક્ટરોએ કહ્યું કે તેના ડાબા ભાગમાં દુખાવો ફોલ્લોને કારણે નથી. બાકીના બધા રિપોર્ટ લગભગ સામાન્ય હતા. તેનું AFP સ્તર થોડું ઊંચું હતું, . જો કે, ડિસેમ્બરમાં થયેલા PET સ્કેનથી ફોલ્લો દેખાતો ન હતો, જેના કારણે તેઓ બંને હવે થોડા ચિંતિત છે.
સારવાર નાની પ્રોસેસ દ્વારા કરવામાં આવશે
શોએબ ઇબ્રાહિમે જણાવ્યું કે, લીવર કેન્સરની પહેલી સર્જરી બાદ હંમેશા રોગ પાછો ફરવાનો ડર અમને બંનેને સતાવતો હતો. કારણ કે તેનું ટ્યુમર ખૂબ જ અગ્રેસિવ હતુ. આ વખતે, ડોકટરો મોટી સર્જરી નહીં કરે, પરંતુ તેના બદલે સિસ્ટને બાળવા માટે એક નાની પ્રક્રિયા કરશે. દીપિકાને 3-4 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે, ત્યારબાદ મંગળવારે આ પ્રોસેસ કરવામાં આવશે. શોએબે કહ્યું કે જો કદ 2 સેન્ટિમીટરથી ઓછું હોય, તો આ સારવાર કરી શકાય છે, નહીં તો કેસ વધુ ગંભીર બની શકે છે.
દીપિકા ભાવુક થઈ ગઈ અને તેના ચાહકોને પ્રાર્થના કરવા અપીલ કરી
દીપિકાએ કહ્યું કે તે સવારે ખૂબ ડરી ગઈ હતી, પરંતુ સદભાગ્યે, સમયસર નિદાન થયું. તેણીએ કહ્યું કે નિયમિત ફોલો-અપ જરૂરી છે અને નાના દુખાવાને પણ અવગણવું જોઈએ નહીં. શોએબે સમજાવ્યું કે ભવિષ્યમાં તેમની ટ્રીટમેન્ટની થેરાપી બદલાઈ શકે છે. જે પહેલા ઓરલ કીમોથેરાપીમાંથી પસાર થઈ રહી હતી હવે તેને ઇમ્યુનોથેરાપી અથવા અન્ય સારવાર આપવામા આવી શકાય છે. દંપતીએ ચાહકોને પ્રાર્થના માટે અપીલ કરી અને કહ્યું કે તેઓ પણ ગંભીર બીમારી સામે લડી રહેલા કોઈપણ વ્યક્તિ માટે પણ હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે.























