શોધખોળ કરો
આ એક્ટ્રેસે દુર્ગા પૂજા કરતા દેવબંદી ઉલેમા ભડક્યા, કહ્યું- "તે ઇસ્લામને બદનામ કર્યો"
નુસરત જહાંથી નારાજ ઉલેમાએ કહ્યું કે, તેણી ધર્મથી વિરુદ્ધ હોય તેવું કામ કરી રહી છે.

નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસના યુવા સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં ફરી એકવખત વિવાદમાં છે. દુર્ગા પૂજાના અવસર પર કોલકત્તાના પંડાલમાં પોતાના પતિ નિખિલ જૈન સાથે સિંદૂર લગાવીને પહોંચેલ નુસરત જહાંને દેવબંદી ઉલેમા ફરી એકવખત નારાજ થઇ ગયા છે. દુર્ગાભવનમાં પૂજા કરવાના મામલામાં દેવબંદી ઉલેમાનું કહેવું છે કે જો નુસરત જહાંના ગેર મજહબી કામ કરવા છે તો તે પોતાનું નામ બદલી શકે છે. થે જ ઉલેમાએ કહ્યું કે નુસરત જહાં મુસ્લિમો અને ઇસ્લામને બદનામ કરી રહી છે. નુસરત જહાંથી નારાજ ઉલેમાએ કહ્યું કે "તેણી ધર્મથી વિરુદ્ધ હોય તેવું કામ કરી રહી છે. ઇસ્લામમાં અલ્લાહ સિવાય કોઇની પણ પૂજા-પ્રાર્થના કરવી હરામ છે. જો નસુરતને આવા જ ધર્મ વિરોધી કામ કરવા હોય તો તે પોતાનું નામ બદલી દે. આવા કામ કરીને તો તે ખાલી ઇસ્લામ અને મુસલમાનોને બદનામ જ કરી રહી છે." ઇત્તેહાદ ઉલેમા એ હિંદના ઉપાધ્યક્ષ મુફ્તી અસદ કાસમીએ કહ્યું કે, "નુસરત જહાં આ રીતે કંઇ પહેલીવાર પૂજા નથી કરી રહી. આ પહેલા પણ તે પૂજા કરી ચૂકી છે."
મુફ્તી અસદ કાસમીએ કહ્યું કે "નૂસરત ઇસ્લામમાં નથી માનતી. ઇસ્લામનો અમલ પણ નથી કરતી. તેના તમામ કામ ધર્મ વિરોધી છે. તેના લગ્ન પણ ધર્મ વિરોધી હતા. હું તો તેને એ જ સલાહ આપીશ કે તું તારું નામ બદલી દે. શું કામ ઇસ્લામને બદનામ કરે છે? આ રીતે તો તે નામ રાખી મુસ્લિમો અને ઇસ્લામને બદનામ કેમ કરી રહી છે?
મુફ્તી અસદ કાસમીએ કહ્યું કે "નૂસરત ઇસ્લામમાં નથી માનતી. ઇસ્લામનો અમલ પણ નથી કરતી. તેના તમામ કામ ધર્મ વિરોધી છે. તેના લગ્ન પણ ધર્મ વિરોધી હતા. હું તો તેને એ જ સલાહ આપીશ કે તું તારું નામ બદલી દે. શું કામ ઇસ્લામને બદનામ કરે છે? આ રીતે તો તે નામ રાખી મુસ્લિમો અને ઇસ્લામને બદનામ કેમ કરી રહી છે? રવિવારના રોજ દુર્ગાષ્ટમીના અવસર પર નુસરત જહાં માથા પર બિંદી, માથામાં સિંદૂર લગાવીને પોતાના પતિ નિખિલ જૈનની સાથે કોલકત્તાના પંડાલમાં પહોંચ્યા હતા. આ દરમ્યાન ઢોલના તાલે જોરદાર નાચી હતી.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
રાજકોટ
બિઝનેસ























