Aryan Khan Bail: આર્યન ખાનની જામીન પર આજે ના આવ્યો ફેંસલો, હવે કાલે થશે સુનાવણી
ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જામીન અરજી પર આજે ફેંસલો ના આવી શક્યો, બૉમ્બે હાઇકોર્ટમાં કાલે પણ સુનાવણી યથાવત રહેશે

Background
Aryan Khan Bail Hearing: ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જામીન અરજી પર આજે ફેંસલો ના આવી શક્યો, બૉમ્બે હાઇકોર્ટમાં કાલે પણ સુનાવણી યથાવત રહેશે
હવે કાલે થશે જામીન પર ફેંસલો
ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જામીન અરજી પર આજે ફેંસલો ના આવી શક્યો, બૉમ્બે હાઇકોર્ટમાં કાલે પણ સુનાવણી યથાવત રહેશે. આર્યન ખાનને ક્રૂઝ પરથી એનસીબીની ટીમે પકડ્યો હતો, અને ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. એટલે કે 2જી ઓક્ટોબરથી હજુ સુધી આર્યન ખાન જેલમાં છે, આર્યનને જામીન આપીને જેલની બહાર લાવવા માટે શાહરૂખ ખાને વકીલોનો ફૌઝ ઉતારી દીધી છે. ગઇકાલે મંગળવારે પણ બૉમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી, પરંતુ ફેંસલો આવી શક્યો ન હતો.
વકીલોએ ધરપકડને ગણાવી ખોટી
ક્રૂઝ ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ સહિત અન્યની જામીન અરજી પર બૉમ્બે હાઇકોર્ટમાં સુનાવણી ચાલુ છે. આર્યન તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી દલીલો કરી રહ્યાં છે. વળી, અરબાઝ મર્ચન્ટ તરફથી અમિત દેસાઇ હાજર થયા છે. તેમને કહ્યું કે, જ્યારે કથિત ગુનો એક વર્ષથી ઓછા સમય માટે દંડનીય હોય. સીઆરપીસીની કલમ 41એ અંતર્ગત નૉટિસ પાઠવવી જોઇતી હતી. નાના -મોટા ગુનાઓમાં ધરપકડ અપવાદ છે. આ અર્નેશ કુમારના ફેંસલા (જજમેન્ટનો હવાલો)નુ ફરમાન છે. તેમને કહ્યું કે જામીન નિયમ છે અને જેલ અપવાદ છે. હવે આ બની ગયુ છે 'ધરપકડ નિયમ છે અને જામીન અપવાદ'.




















