શોધખોળ કરો
પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ નહીં રમવા પર ભારતને થશે મોટું નુકશાન
1/4

નવી દિલ્લી: પાકિસ્તાન સાથે લગભગ પાંચ-છ વર્ષોથી દ્વિપક્ષીય સીરીઝ ન રમવાના કારણે ભારતને મોટું નુકશાન ભોગવવું પડી શકે છે. તેના કારણે ભારત આવતા વર્ષે યોજાનાર એશિયા કપની યજમાની નહીં કરી શકે, ભારતે 2018ના જૂન મહિનામાં એશિયા કપની યજમાની કરવાની છે. પણ સરકારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ટને હજુ સુધી તેની મંજૂરી આપી નથી કે તે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સીરીઝ રમે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની સાથે દ્વિપક્ષીય સીરીઝ ન રમવા પર બીસીસીઆઈ પાસે 70 યૂએસ ડૉલરની માગ કરી હતી.
2/4

અગાઉ સરકારે અંડર 19 એશિયા કપમાં પણ પાકિસ્તાનની ટીમને આવવાની મંજૂરી આપી નથી. જેને લઈને ભારતથી તેની યજમાની છીનવાઈ ગઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી વખત દ્વિપક્ષીય સીરીઝ 2012-13માં રમાઈ હતી.
Published at : 08 Dec 2017 09:24 PM (IST)
View More























