શોધખોળ કરો
ઇરફાનની બિમારીને લઈને પત્નીએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું....
1/5

હું ભગવાન અને મારા સાથીની આભારી છૂં જેણે મને પણ એક યોદ્ધા જેવી બનાવી દીધી છે. હાલના સમયની વાત કરું તો હું એક એવા યુદ્ધ મેદાનમાં ઉભી છું જ્યાં હું આ જંગને જીતવા માટે સ્ટ્રેટેજી પર ફોકસ કરી રહી છું. હું જાણુ છું કે ઇરફાનના ફેન્સ અને મિત્રોના સ્નેહને કારણે હું આ જંગ જીતી જ જઈશ. મને ખબર છે કે બધાના મનમાં એ જિજ્ઞાસા અને ચિંતા વધી રહી છે, પરંતુ આ બધું જાણવા માટે આપણે આપણી ઉર્જા વેડફવી ન જોઈે પરંતુ પ્રાર્થના કરવી જોઈએ.
2/5

નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા જ ઇરફાન ખાને પોતે દુર્લભ બિમારીનો સામનો કરી રહ્યો હોવાની જાણકારી ટ્વિટર દ્વારા આપી હતી. આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર તેના ફેન્સને એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી કે આખરે ઇરફાન ખાનને કઈ બિમારી થઈ છે. બિમારીને લઈને અનેક અફવાઓની વચ્ચે હવે તેના પરિવારો મૌન તોડ્યું છે. ઇરફાનની પત્ની સુતાપા સિકદરે એક નિવેદન જારી કરીને કહ્યું કે, એ જાણવામાં તમારી ઉર્જા વ્યય ન કરો કે શું થયું છે, તેના બદલે પ્રાર્થના કરો.
Published at : 10 Mar 2018 11:18 AM (IST)
Tags :
Irrfan KhanView More





















