શોધખોળ કરો
કંગના રનૌતે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર ગોડસેનું કર્યું સમર્થન, ટવિટમાં શું લખ્યું?
કંગના રનૌતે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર નાથૂરામ ગોડસેના સમર્થનમાં એક ટ્વિટ કર્યું છે. આ ટવિટથી વિવાદ સર્જાયો છે. ટવિટમાં કંગનાએ શું લખ્યું?

બોલિવૂડ: અભિનેત્રી કંગના એકવાર ફરી તેમના ટવિટને લઇને ચર્ચામાં છે. કંગનાએ મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસે ટવિટ કરીને ગોડસેનું સમર્થન કર્યું છે.આ ટવિટ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે. કંગનાએ ટવિટમાં ગોડસેનું સમર્થન કર્યું છે. કંગનાના આ ટવિટ બાદ યુઝર્સ તેમના વિચારોનો વિરોધ કરતા કમેન્ટ કરી છે તો કેટલાક યુઝર્સ કંગનાનું સમર્થન કરી રહ્યાં છે.
કંગના રનૌતે શું કર્યું ટવિટ કંગના રનૌતે આ ટવિટમાં નાથુરામ ગોડસેની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતા કંગનાએ લખ્યું કે, દરેક કહાણીના ત્રણ પાસા હોય છે. એક મારૂં. એક આપનું અને એક સત્યનું, સારી કહાણી કહેનાર ન બંધાયેલો હોય છે, ન તો તે કંઇ છુપાવે છે. તો આ રીતે આપણા પુસ્તકો પણ બેકાર છે. જેમાં માત્ર ખોટો દેખાડો છે.
કંગના રનૌતે શું કર્યું ટવિટ કંગના રનૌતે આ ટવિટમાં નાથુરામ ગોડસેની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતા કંગનાએ લખ્યું કે, દરેક કહાણીના ત્રણ પાસા હોય છે. એક મારૂં. એક આપનું અને એક સત્યનું, સારી કહાણી કહેનાર ન બંધાયેલો હોય છે, ન તો તે કંઇ છુપાવે છે. તો આ રીતે આપણા પુસ્તકો પણ બેકાર છે. જેમાં માત્ર ખોટો દેખાડો છે. ટવિટમાં કંગનાએ ગાંધીજીની હત્યા કરનાર નથુરામ ગોડસેની તસવીર મૂકી છે અને તેનું સમર્થન કરતી જોવા મળે છે. કંગનાના આવા વલણના કારણે યુઝર્સ કંગનાની દેશભક્તિ પર સવાલ ઉઠાવી રહ્યાં છે.Every story has three sides to it, yours, mine and the truth .... A good story teller neither commits nor conceals... and that’s why our text books suck ... full of exposition #NathuramGodse pic.twitter.com/fLrobIMZlU
— Kangana Ranaut (@KanganaTeam) January 30, 2021
વધુ વાંચો





















