શોધખોળ કરો

સાઉથની આ ફેમસ એક્ટ્રેસને મંદિરમાં ના મળ્યો પ્રવેશ, સામે આવ્યું ચોંકાવનારું કારણ

Amala Paul: સાઉથ એક્ટ્રેસ અમલા પૉલને કેરળના એક હિંદુ મંદિરમાં જવા દેવામાં આવી ન હતી. અભિનેત્રીએ મંદિર પ્રશાસન પર ધાર્મિક ભેદભાવનો આરોપ લગાવ્યો છે.

Amala Paul: સાઉથની જાણીતી અભિનેત્રી અમલા પોલને કેરળના એક હિંદુ મંદિરમાં પ્રવેશવા દેવામાં આવી ન હતી. જેને પગલે અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે "ધાર્મિક ભેદભાવ" ને કારણે તેને કેરળના એર્નાકુલમમાં તિરુવૈરાનીકુલમ મહાદેવ મંદિરમાં પ્રવેશતા અધિકારીઓ દ્વારા રોકવામાં આવી હતી.

મંદિરમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે છે

અમલા પોલ સોમવારે મંદિર ગઈ હતી. તેનું એવું કહેવું છે કે મંદિરના સત્તાવાળાઓએ રીત રિવાજોનો હવાલો આપીને કહ્યું કે આ મંદિરમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે છે અને તેને દર્શન કરતા અટકાવી દીધી હતી. અભિનેત્રીએ બાદમાં દાવો કર્યો હતો કે તેને મંદિરના સામેના રસ્તા પરથી દેવીની એક ઝલક જોવા માટે મજબૂર કરી હતી અને મંદિરની અંદર પ્રવેશવા પર અટકાવી હતી

અમલાએ મંદિરના વિઝિટર રજિસ્ટરમાં અનુભવ લખ્યો

અમાલા પોલે મંદિરના મુલાકાતીઓના રજિસ્ટરમાં પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે તેણીએ "દેવીને જોયા વિના પણ આત્માનો અનુભવ કર્યો." અમાલા પોલે મંદિરના મુલાકાતીઓના રજિસ્ટરમાં લખ્યું છે કે, "તે દુઃખદ અને નિરાશાજનક છે કે ધાર્મિક ભેદભાવ 2023માં પણ અસ્તિત્વમાં છે. હું દેવતાની નજીક ન જઈ શકી પરંતુ દૂરથી ભાવના અનુભવી શકી. મને આશા છે કે ધાર્મિક ભેદભાવ ટૂંક સમયમાં બદલાવ આવશે. જલ્દી સમય આવશે જ્યારે આપણે બધા સાથે સમાન વ્યવહાર કરીશું, ધર્મના આધારે નહીં.

મંદિર પ્રશાસન પર ઉઠી રહ્યા છે પ્રશ્નો

બીજી તરફ તિરુવૈરાનીકુલમ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિર પ્રશાસન આ ઘટના સામે આવ્યા બાદથી શંકાના દાયરામાં છે. મંદિરના સત્તાવાળાઓએ કહ્યું કે તેઓ ફક્ત હાલના પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે. ટ્રસ્ટના સેક્રેટરી પ્રસૂન કુમારે જણાવ્યું હતું કે, "અન્ય ઘણા ધર્મોના ભક્તો મંદિરમાં દર્શન કરવા આવ્યા છે.  પરંતુ આ વાત કોઈને ખબર નથી. જો કે જ્યારે કોઈ સેલિબ્રિટી આવે છે ત્યારે તે વિવાદાસ્પદ બની જાય છે."

કોણ છે અમલા પૉલ ?

અહેવાલો અનુસાર અમલા પોલનો જન્મ એક ખ્રિસ્તી પરિવારમાં થયો છે. તમને જણાવી દઈએ કે અમલા પોલ દક્ષિણ ભારતની પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે તમિલમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. અમલાએ નાગા ચૈતન્ય, રામ ચરણ, અલ્લુ અર્જુન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. અમલા ટૂંક સમયમાં અજય દેવગનની ફિલ્મ 'ભોલા'માં જોવા મળશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget