શોધખોળ કરો

Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન

બોલિવૂડના હી-મેન તરીકે જાણીતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર છવાઇ ગઈ છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા.

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું  નિધન  થયું છે. તેઓ 89 વર્ષના હતા. "હી-મેન" તરીકે જાણીતા આ અભિનેતાના નિધનથી  દેશભરમાં શોકની લહેર છલાઇ  ગઈ છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા. તેમને થોડા દિવસો માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા અને ઘરેથી જ તેમની સારવાર ચાલી રહી હતી.

IANS અહેવાલ મુજબ ધર્મેન્દ્રનું અવસાન થયું છે. તેમના અંતિમ સંસ્કાર પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. ધર્મેન્દ્રનું પૂરું નામ ધર્મેન્દ્ર કેવલ કૃષ્ણ દેઓલ છે. તેમનો જન્મ 8 ડિસેમ્બર, 1935 ના રોજ પંજાબના નસરાની ગામમાં થયો હતો.

300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું

ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી આદરણીય અને લોકપ્રિય સ્ટાર્સમાંના એક છે. સાત દાયકાથી વધુની કારકિર્દીમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં "શોલે", "ચુપકે ચુપકે", "સીતા ઔર ગીતા" અને "ધરમ વીર" જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. 

તેમની છેલ્લી ફિલ્મ આવતા મહિને રિલીઝ થશે.

ધર્મેન્દ્ર 89 વર્ષના હોઈ શકે છે, પરંતુ તેઓ ઉદ્યોગમાં એક્ટિવ રહ્યા છે. ધર્મેન્દ્ર તાજેતરમાં "રોકી ઔર રાની કી પ્રેમ કહાની" અને "તેરી બાતોં... મેં ઐસા ઉલઝા જિયા" માં જોવા મળ્યા હતા, જ્યાં તેમણે પોતાના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેઓ અગસ્ત્ય નંદાની "ઈક્કીસ" માં પણ જોવા મળશે, જે 25 ડિસેમ્બરે રિલીઝ થશે.

ધર્મેન્દ્રને 31 ઓક્ટોબર, 2025ના રોજ નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેના પછી તેમને દાખલ કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્ર ઘણા દિવસોથી આઈસીયુમાં હતા અને 10 નવેમ્બરના રોજ તેમની તબિયત નાજુક હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. પરિણામે, હેમા માલિની, સની દેઓલ, એશા દેઓલ અને તેમના પૌત્રો કરણ દેઓલ અને રાજવીર દેઓલ હોસ્પિટલમાં તેમને મળવા પહોંચ્યા હતા. 

1960માં બોલિવૂડમાં ડેબ્યૂ 

ધર્મેન્દ્રનું પૂરું નામ ધર્મેન્દ્ર કેવલ કૃષ્ણ દેઓલ છે. તેમનો જન્મ 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબના નસરાની ગામમાં થયો હતો. તેમણે 1960ની ફિલ્મ "દિલ ભી તેરા હમ ભી તેરે" થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ 1961ની ફિલ્મ "બોય ફ્રેન્ડ" માં સહાયક ભૂમિકામાં દેખાયા હતા. 

ધર્મેન્દ્રનો પરિવાર વિશે

ધર્મેન્દ્રએ તેમના જીવનમાં બે વાર લગ્ન કર્યા. તેમના પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે થયા હતા, જેનાથી તેમને ચાર બાળકો છે: સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા દેઓલ અને અજિતા દેઓલ. ત્યારબાદ દિવંગત અભિનેતાએ 1980માં તેમની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના હેમા માલિની સાથે લગ્ન કર્યા. ધર્મેન્દ્રએ બીજા લગ્ન માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો. હેમા માલિનીથી તેમને બે પુત્રીઓ છે: ઈશા દેઓલ અને અહાના દેઓલ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Mahashivratri 2026: ભવનાથ, સોમનાથ સહિતના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર, શિવનાદથી ગૂંજ્યાં શિવાલય
Mahashivratri 2026: ભવનાથ, સોમનાથ સહિતના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર, શિવનાદથી ગૂંજ્યાં શિવાલય
22 એપ્રિલે ખૂલશે બાબા કેદારનાથના કપાટ, બદ્રીનાથ મંદિરની તારીખ પણ નક્કી
22 એપ્રિલે ખૂલશે બાબા કેદારનાથના કપાટ, બદ્રીનાથ મંદિરની તારીખ પણ નક્કી
IND vs PAK T20 World Cup: ભારતના આ 11 દિગ્ગજ ખેલાડીઓ આજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે
IND vs PAK T20 World Cup: ભારતના આ 11 દિગ્ગજ ખેલાડીઓ આજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે
IND vs PAK મેચમાં ટીમ ઈન્ડિયાની જીત માટે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ખાસ પૂજા, મંત્રોચ્ચાર સાથે થયો જલાભિષેક
IND vs PAK મેચમાં ટીમ ઈન્ડિયાની જીત માટે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ખાસ પૂજા, મંત્રોચ્ચાર સાથે થયો જલાભિષેક
Advertisement

વિડિઓઝ

Maha Shivratri 2026: હર હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવાલયો, વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Delhi Police: દિલ્લી પોલીસે આંતરરાષ્ટ્રીય સાઈબર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો
Gujarat Weather Update : રાજ્યમાં લા- નીનો, બે વાવાઝોડાની અસરથી ઉનાળો શરૂ થશે મોડો
Anand News: ડંકી રૂટથી અમેરિકા જતા આણંદના યુવક-યુવતીના અપહરણનો કેસમાં 3 એજન્ટોની ધરપકડ
Hun To Bolish LIVE | 10 પછી DJ બંધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahashivratri 2026: ભવનાથ, સોમનાથ સહિતના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર, શિવનાદથી ગૂંજ્યાં શિવાલય
Mahashivratri 2026: ભવનાથ, સોમનાથ સહિતના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર, શિવનાદથી ગૂંજ્યાં શિવાલય
22 એપ્રિલે ખૂલશે બાબા કેદારનાથના કપાટ, બદ્રીનાથ મંદિરની તારીખ પણ નક્કી
22 એપ્રિલે ખૂલશે બાબા કેદારનાથના કપાટ, બદ્રીનાથ મંદિરની તારીખ પણ નક્કી
IND vs PAK T20 World Cup: ભારતના આ 11 દિગ્ગજ ખેલાડીઓ આજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે
IND vs PAK T20 World Cup: ભારતના આ 11 દિગ્ગજ ખેલાડીઓ આજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે
IND vs PAK મેચમાં ટીમ ઈન્ડિયાની જીત માટે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ખાસ પૂજા, મંત્રોચ્ચાર સાથે થયો જલાભિષેક
IND vs PAK મેચમાં ટીમ ઈન્ડિયાની જીત માટે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ખાસ પૂજા, મંત્રોચ્ચાર સાથે થયો જલાભિષેક
તારિક રહેમાન 17 ફેબ્રુઆરીએ વડા પ્રધાન પદના લેશે શપથ, 13 દેશને મળ્યું આમંત્રણ, PM મોદી જશે બાંગ્લાદેશ?
તારિક રહેમાન 17 ફેબ્રુઆરીએ વડા પ્રધાન પદના લેશે શપથ, 13 દેશને મળ્યું આમંત્રણ, PM મોદી જશે બાંગ્લાદેશ?
Indian Student Death: અમેરિકામાં ગૂમ થયેલા વિદ્યાર્થી સાકેતનો 6 દિવસ બાદ મળ્યો મૃતદેહ
Indian Student Death: અમેરિકામાં ગૂમ થયેલા વિદ્યાર્થી સાકેતનો 6 દિવસ બાદ મળ્યો મૃતદેહ
AIના કારણે આઇટી સેક્ટરમાં થઇ મોટી છંટણી? સ્ટડીમાં મોટો ખુલાસો
AIના કારણે આઇટી સેક્ટરમાં થઇ મોટી છંટણી? સ્ટડીમાં મોટો ખુલાસો
IND vs PAK: ભારત અને પાકિસ્તાનના મેચમાં વરસાદ બનશે વિધ્નરૂપ? જાણો લેટેસ્ટ અપડેટ
IND vs PAK: ભારત અને પાકિસ્તાનના મેચમાં વરસાદ બનશે વિધ્નરૂપ? જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget