શોધખોળ કરો
‘તારક મહેતા કા.....’માં નહીં જોવા મળે દયાબેન, આ કારણે છોડ્યો શો, જાણો વિગત
1/4

મુંબઈઃ ટીવીના જાણીતા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સ માટે માઠા સમાચાર છે. શોમાં ‘દયાબેન’નું પાત્ર ભજવતી એક્ટ્રેસ દિશા વાકાણી હવે નહીં જોવા મળે. દિશા ઘણા લાંબા સમયથી શોમાંથી ગાયબ છે. તે વાપસી કરશે તેમ કહેવામાં આવતું હતું પરંતુ હવે એક્ટ્રેસે શો છોડવાનો ફેંસલો કરી લીધો છે.
2/4

દિશાએ શો છોડવા માટે અંગત કારણ જણાવ્યું છે. દીકરીના જન્મ બાદ તે ફેમિલીને વધારે સમય આપવા માંગે છે. આ કારણે હવે દિશા પ્રોફેશનલ લાઇફથી દૂર પર્સનલ લાઇફમાં માતાની જવાબદારી નિભાવવાની તૈયારીમાં છે. દિશા વાકાણી શો છેડી રહી છે તે અંગે જ્યારે સ્ટાર કાસ્ટને પૂછવામાં આવ્યું ત્યારે કંઈ જણાવવાનો ઈનકાર કર્યો હતો.
Published at : 22 Jan 2019 06:31 PM (IST)
View More




















