તેને ઇન્ટરનેટ પ્રોવાઈડર્સ અને બેંકોને મોકલવામાં આવશે. આ ઇન્ટરનેટ પ્રોવાઈડર્સ અને બેંક ઉયોગકર્તાની ઓળખ કરશે અનેતેને આ કેન્દ્રની એક લિંક ઉપલબ્ધ કરાવશે જેની મદદથી તે આ સેવાનો લાભ લઈ શકશે. આ લિંકના માધ્યમથી ઉપયોગ કર્તા એન્ટી-વાયરસને પોતાના પ્રભાવિત ઉપકરણને યોગ્ય કરવા માટે ડાઉનલોડ કરી શકશે.
2/5
સાઇબર સ્વચ્છતા કેન્દ્રના નામથી શરૂ કરવામાં આ સેવા અંતર્ગત દેશમાં સાઇબર સુરક્ષાની દેખરેખ કરનારી સંસ્થા કોમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ પ્રભાવિત કોમ્પ્યૂટર અને મોબાઈલના ડેટા એકત્ર કરશે.
3/5
બોટનેટ એન્ડ માલવેર એનાલિસિસ સન્ટર શરૂ કરતા ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી પ્રધાન રવિ શંકર પ્રસાદે કહ્યું કે, હું ઇન્ટરનેટ પ્રોવાઈડર્સને આગ્રહ કરું છું કે તે પોતાના ગ્રાહકોને આ સુવિધા સાથે જોડવા માટે પ્રેરિત કરે. આ એક ફ્રી સેવા છે. ગ્રાહક આવે અને આ સેવાનો ઉપયોગ કરે.
4/5
ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રાલયે મંગળવારે એક એન્ટી-માલવેર એનાલિસીસ કેન્દ્ર શરૂ કર્યું જે દેશમાં કોમ્પ્યૂટર અને મોબાઈલ ફોનનને એન્ટી વાયરસની સુવિધા આપશે. આ પ્રોજેક્ટ પર આવતા પાંચ વર્ષમાં 90 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
5/5
નવી દિલ્હીઃ સરકાર ટૂંકમાં તમારા કોમ્પ્યુટર અને મોબાઈલ ફોનની સુરક્ષા ફ્રી (FREE)માં કરશે. આઈટી મંત્રાલયે તમને ફ્રી એન્ટી-વાયરસ સર્વિસ આપવાની વ્યવસ્થા કરી છે. સાઈબર સિક્યોરિટી રેગ્યુલેટર વાયરસ અને માલવેરવાળા યૂઝર્સની ઓળખ કરશે. ત્યાર બાદ તેને પોતાના ફ્રી એન્ટી-વાયરસ સોફ્ટવેરની ડાઉનલો લિંક મોકલશે. હાલમાં 58 ઇન્ટરનેટ કંપનીઓ અન 13 બેંકોને તેની સાથે જોડવામાં આવી છે. પરંતુ 90 કરોડના આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે લાગુ થવામાં હાલમાં 5 વર્ષ લાગશે.