શોધખોળ કરો
આનંદીબેન રાજ્યપાલ બનનારા 12મા ગુજરાતી મહાનુભાવ, જાણો તમામની વિગતો
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 21 Jan 2018 10:55 AM (IST)
1/13

જામનગરના મહારાજા હિંમતસિંહજી 1 માર્ચ 1952થી 31 ડિસેમ્બર 1954 સુધી હિમાચલ પ્રદેશના પ્રથમ ગર્વનર પદે રહ્યા હતા. તેઓ જામ રણજીતસિંહજીના પિતરાઇ અને દુલીપસિંહજીના ભાઇ હતા.
2/13

જનતા પક્ષ અને બાદમાં ભાજપ સાથે જોડાયેલા જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ વીરેનભાઇ શાહ પણ રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેઓ પશ્વિમ બંગાળના રાજ્યપાલ રહ્યા હતા.
3/13

ભારતીય જનતા પક્ષ સાથે સંકળાયેલા અને ગુજરાત સરકારમાં નાણા મંત્રી રહી ચૂકેલા વજુભાઇ વાળાને 2014માં કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. વજુભાઇ ગુજરાત વિધાનસભાના સ્પીકર પણ રહી ચૂક્યા છે.
4/13

દક્ષિણ ગુજરાતના મહિલા નેતા કુમુદબેન જોશી પણ આંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા. કોઇ ગુજરાતી મહિલાને ગર્વનર બનાવવામાં આવ્યા હોય તેવી એ પ્રથમ ઘટના હતી.
5/13

1977માં જનતા સરકાર રચાઇ ત્યારબાદ તમિલનાડુના ગર્વનરપદે પ્રભુદાસ પટવારીની નિયુક્તિ કરવાં આવી હતી. કટોકટી કાળમાં ડાઇનેમાઇટ કેસમાં તમનું નામ પણ જ્યોર્જ ફર્નાન્ડિઝ વગેરે સાથે સંકળાયું હતું.
6/13

કોગ્રેસ નેતા ખંડુભાઇ દેસાઇ 11 એપ્રિલ, 1968થી લઇને 5,જાન્યુઆરી 1975 વચ્ચે આંધ્રપ્રદેશના ગવર્નર રહી ચૂક્યા છે.
7/13

કોગ્રેસ નેતા કે.કે શાહ તમિલનાડુના ગર્વનર પદે રહી ચૂક્યા છે. તેઓ બાયડ તાલુકાના ગબાટ ગામમાં જન્મ થયા હતા. 14,માર્ચ 1986ના રોજ કોલકત્તામાં તેમનું નિધન થયું હતું.
8/13

કોગ્રેસના નેતા જયસુખલાલ હાથી પંજાબના ગવર્નર રહી ચૂક્યા છે.
9/13

ઉપરાંત ચંદુલાલ માધવલાલ ત્રિવેદી 1946થી 1953 દરમિયાન ઓડિશા, પંજાબ, આંધ્રપ્રદેશના ગર્વનર રહ્યા હતા.
10/13

આઝાદી બાદ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ 1948થી 1952 દરમિયાન મદ્રાસ સ્ટેટના ગર્વનર તરીકે ફરદ બજાવી હતી.
11/13

જાણીતા ગુજરાતી લેખક અને ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને રજૂ કરનારા કનૈયાલાલ માણેકલાલ મુનશીને (ક.મા.મુનશી) પણ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.
12/13

આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ ચાર વખત ધારાસભ્ય બની ચૂક્યા છે. આનંદીબેન પટેલ નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ સાથેનાં ગુજરાત ભાજપનાં મહત્વનાં નેતા છે. તેઓ સૌથી વધુ સમય ધારાસભ્યપદે રહેનારા ગુજરાતનાં મહિલા ધારાસભ્યોમાંના એક છે. તેઓએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ૧૯૯૪માં રાજ્ય સભાના સભ્ય તરીકે કરી હતી અને ૧૯૯૮ની રાજ્યની ચૂંટણીઓ દરમિયાન તેઓ ગુજરાતમાંથી ધારાસભ્ય બન્યા.
13/13

ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના ગર્વનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આનંદીબેન પટેલ આગામી 23મી જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે કારભાર સંભાળશે. અગાઉ 11 ગુજરાતી મહાનુભાવો ગવર્નરનું પદ શોભાવી ચૂક્યા છે. જોકે, ગર્વનર બનનારા પ્રથમ ગુજરાતી મહિલા આનંદીબેન નહી પરંતુ કુમુદબેન જોષી છે. કુમુદબેન જોષીને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.
Published at : 21 Jan 2018 10:55 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગાંધીનગર
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
ગાંધીનગર
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
ગાંધીનગર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
ટ્રેન્ડિંગ સમાચાર





















