આ અંગે રાઘવજી પટેલ કહ્યું કે થોડો સમય પહેલા દિલ્હીમાં પણ રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાહુલ ગાંધી સાથેની મીટીંગમાં અમે સમાજની લાગણી વ્યકત કરી હતી, પરંતુ યોગ્ય પ્રતિભાવ મળ્યો નથી એટલે પ્રભારીનું ધ્યાન દોરી ફરી અમારી લાગણી મોવડીઓને પહોંચાડવા 'રિમાઈન્ડર' આપ્યું છે.
3/8
આ નેતાઓએ કામતને એવુ જણાવ્યુ હતુ કે, અમે અગાઉ પણ લાગણી વ્યકત કરી હતી કે પાટીદાર ચહેરાઓને 'હાઈલાઈટ' કરો તો સમાજને લાગે કે પાટીદાર સમાજનું કોંગ્રેસમાં મહત્વ છે અને કોંગી મોવડીઓ પાટીદાર સમાજને મહત્વ આપવા માંગે છે.
4/8
પાટીદાર નેતાઓએ રજૂઆત કરી કે, કોંગ્રેસમાં પાટીદાર સમાજનું મહત્વ છે એ પ્રસ્થાપિત કરવુ આવશ્યક બન્યુ છે. ગત ચૂંટણીમાં પાટીદારો કોંગ્રેસની સાથે રહ્યા હતા પણ બાદમાં પાટીદારોનું કોંગ્રેસમાં મહત્વનું સ્થાન છે તેવુ સ્થાપિત થાય તેવા કોઈ પગલાં હજુ સુધી લેવાયા નથી.
5/8
આ નેતાઓએ રજૂઆત કરી છે કે કોંગ્રેસમાં પાટીદારોનું મહત્વ છે એ તાકીદે પ્રસ્થાપિત કરો અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ પાટીદારો કોંગ્રેસ સાથે જ રહે તેવી સ્થિતીનું નિર્માણ કરો. ભાજપને હરાવવા માટે પાટીદારોનો સાથ જરૂરી છે તેવું તેમણે ભારપૂર્વક કહ્યું હતું.
6/8
આ આગેવાનોએ ફરિયાદ કરી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પાટીદાર સમાજે કોંગ્રેસને ખુલ્લેઆમ સમર્થન આપીને જીતાડી હતી છતાં તેના બદલામાં કેન્દ્રીય હાઈકમાન્ડ કે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પાટીદાર સમાજને વિશ્વાસ બેસે એવાં કોઈ પગલાં ભરાયાં નથી.
7/8
ધારાસભ્ય રાઘવજી પટેલની આગેવાનીમાં કોંગ્રેસના 28 વરીષ્ઠ પાટીદાર આગેવાનો શનિવારે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરૂદાસ કામતને મળ્યા હતા અને 1 કલાક સુધી ચર્ચા કરી પાટીદાર સમાજના આગેવાનોની લાગણી વ્યક્ત કરી હતી.
8/8
અમદાવાદઃ2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સમાજની ભાજપ તરફની નારાજગીનો લાભ લઈ પાટીદારોને કોંગ્રેસ તરફ વાળવા માટે કોંગ્રેસના નેતાઓ કશું કરતા નથી તેવી ફરિયાદ સાથે કોંગ્રેસના પાટીદાર આગેવાનોએ મોરચો માંડ્યો છે.