શોધખોળ કરો
ગુજરાતમાં ખેડૂતોનાં દેવાં માફ કરવા મુદ્દે નીતિન પટેલે કરી શું મોટી જાહેરાત? જાણો વિગત

1/4

ખેડૂતોના કારણે જ સરકાર રૂપિયા 900 કરોડનું ભારણ વેઠી રહી છે. આ ઉપરાંત ડ્રીપ ઈરીગેશન અને વિજળીને કારણે સરકારને આર્થિક ફટકો પડ્યો છે. ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ અમલી હોવાથી કોઈ પણ ભોગે દેવું માફ થશે નહીં. અન્ય રાજ્યોમાં ખેડૂતો માટે દેવું માફ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકારે તો આ વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે. ભાજપના શાસકોનો તો એવો પણ મત છે કે, ગુજરાતના ખેડૂતો અન્ય રાજ્યોની સરખામણીએ વધુ સમૃદ્ધ છે.
2/4

કોંગ્રેસ સાશિત રાજ્યોએ ખેડૂતોના દેવાં માફ કરતાં ગુજરાતમાં પણ દેવાં માફીની માંગ ઉઠી છે. પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોના દેવું માફ નહીં આ વાતનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતો માટે ઘણી લાભદાયી યોજનાઓ અમલમાં જ છે.
3/4

એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં 16.74 લાખ ખેડૂતો દેવાગ્રસ્ત છે. ગુજરાતી ખેડૂતનું સરેરાશ દેવું 38.100 રૂપિયા છે. ખેતી સાથે સંકળાયેલા 39.30 લાખ કુંટુંબો પૈકી 42.6 ટકા કુંટુંબો દેવામાં ડૂબેલા છે. દેશમાં માસિક આવકમાં ગુજરાતના ખેડૂતોનો 12મો ક્રમ છે. ગુજરાતના ખેડૂતની માસિક આવક અંદાજે 7,926 રૂપિયા છે.
4/4

ગાંધીનગર: છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારે પોતાની સરકાર બનાવતાં ખેડૂતોનું દેવું માફ કર્યું છે. રાજસ્થાન સરકારે પણ ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી દીધી છે. દેવા માફીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું છે પણ ગુજરાત સરકારે ખેડૂતોના દેવાં માફ કરવાના મતમાં નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઈ પણ ભોગે ખેડૂતોનું દેવું માફ થાય નહીં.
Published at : 20 Dec 2018 10:08 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
