આ પેન્શન વધારાનો વાસ્તવિક અમલ ઓકટોબર 2016થી થશે. નીતિન પટેલ જણાવ્યું કે, રાજયના 4.50 લાખથી વધુ કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપ્યો છે. તે મુજબ હવે રાજયના 4.12 લાખથી વધુ પેન્શનરોને પણ સાતમા પગાર પંચનો લાભ અપાયો છે.
2/4
આ વધારાના કારણે હવે તમામ પેન્શનરોના પેન્શન સાતમા પગાર પંચની ભલામણ અનુસાર નવેસરથી ફિક્સ કરવામાં આવશે અને તે પ્રમાણે પેન્શનના લાભો મળશે. સાતમા પગાર પંચની ભલામણ અનુસાર પેન્શન સુધારણાનો અમલ 1 જાન્યુઆરી 2016થી કરાશે.
3/4
શનિવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરતાં કહ્યું હતું કે સરકાર દ્વારા ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદા પણ 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ નિર્ણયના કારણે ગુજરાત સરકાર પર 1361 ૧૩૬૧ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.
4/4
અમદાવાદઃ ગુજરાત સરકારે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને પેન્શનરોને લઘુત્તમ પેન્શન 3500 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરી દીધો છે. સરકારની આ જાહેરાતથી રાજ્ય સરકારના 4.12 લાખથી વધુ પેન્શનરોને સીધો ફાયદો થશે.