શોધખોળ કરો
પાટીદારો સામેના કેટલા કેસ પાછા ખેંચાયા? સરકારે શું આપ્યો જવાબ? બીજા કેમ ન ખેંચાયા પાછા?
1/4

તેમણે વધુમાં કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન 537 કેસ નોંધવામાં આવ્યા હતા જેમાં 247 કેસ પાછા ખેંચવા અંગે કોર્ટને જાણ કરી દેવામાં આવી છે. જ્યારે 238 જેટલા કેસો પરત ખેંચાયા છે. ઉપરાંત 41 કેસ તપાસ હેઠળ છે. કેટલાક ગંભીર કેસો છે જેને પરત ખેંચવાની રાજ્ય સરકારને સતા નથી. અમારા અધિકારમાં આવતા હતા તે કેસો અમે પાછા ખેંચ્યા છે. 14 ગુના અને 12 ખાનગી ફરિયાદો પાછી ખેંચી શકાય એમ નથી. અમે જે કહ્યું છે એ કરવાના જ છે, બધી હકીકતો નેટ ઉપર છે.
2/4

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં કહ્યું હતું કે, પાટીદાર સમાજ ભાજપનું પિંડ છે. એ અમારી સાથે જ રહેશે. ભલે વિપક્ષના નેતા તરીકે પાટીદારની નિમણૂક કરાઇ હોય પરંતુ પાટીદારો ક્યારેય કોગ્રેસ સાથે નહી જાય. કોગ્રેસ ભાજપને સીધી રીતે હરાવી શકી નથી જેથી જાતિવાદી પરિબળોનો સહારો લઇ રહી છે.
Published at : 15 Mar 2018 05:54 PM (IST)
View More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ગેજેટ
આઈપીએલ
આઈપીએલ






















