શોધખોળ કરો
ગાંધીનગર: મોડી રાતે સચિવાલયમાં દીપડો ઘૂસ્યો, વનવિભાગની ટીમે શરૂ કરી શોધખોળ
1/5

સચિવાલય સંકૂલને સવારથી જ બંધ રાખવામાં આવ્યું છે. મુલાકાતીઓ અને કર્મચારીઓને દીપડાના કારણે સંકૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. વન વિભાગના મંત્રી ગણપત વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે, દીપડો સંકૂલમાં ઘૂસ્યો હોવાની માહિતી મળ્યાં બાદ વન વિભાગની ટીમો તેને શોધવા માટે કામે લાગી ગઈ છે. દીપડાને પકડી લેવા માટે વિવિધ જગ્યા પર પાંજરા પણ મૂકવામાં આવ્યા છે.
2/5

નવા સચિવાલય સંકૂલમાં આવેલા વિધાનસભા અને વિવિધ બ્લોક્સમાં દીપડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જોકે કોઈ જગ્યાથી દીપડાની ભાળ નથી પડી રહી.
Published at : 05 Nov 2018 11:48 AM (IST)
View More





















