શોધખોળ કરો
2019 લોકસભા ચૂંટણીઃ ભાજપે ભૂપેન્દ્ર યાદવને બદલી કોને બનાવ્યા ગુજરાતના પ્રભારી
1/3

ભાજપના મહાસચિવો ભૂપેન્દ્ર યાદવ અને અનિલ જૈનને ક્રમશ બિહાર અને છત્તીસગઢની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યસભાના સભ્ય વી.મુરલીધરન અને પાર્ટી સચિવ દેવધર રાવને આંધ્રપ્રદેશમાં ચૂંટણીની જવાબદારી સોંપી છે. મહેન્દ્રસિંહને આસામના પ્રભારી બનાવાયા છે. ભાજપે તે સિવાય અનેક રાજ્યોમાં પ્રભારી અને સહપ્રભારીઓની નિમણૂક કરી છે. આ રાજ્યોમાં હિમાચલપ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, પંજાબ, તેલંગણા અને સિક્કિમનો સમાવેશ થાય છે.
2/3

પાર્ટી દ્ધારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતના પ્રભારી તરીકે ઓમપ્રકાશ માથુરની નિમણુક કરવામાં આવી છે. માથુરની નિમણુક ભુપેન્દ્ર યાદવના સ્થાને કરવામાં આવી છે. હાલ ગુજરાત ભાજપના પ્રભારી તરીકે ભુપેન્દ્ર યાદવ છે.
Published at : 26 Dec 2018 06:57 PM (IST)
View More





















