શોધખોળ કરો
6 નવેમ્બરના રોજ રૂપાણી સરકારને આ રીતે ઘેરશે અલ્પેશ ઠાકોર, એકઠા થશે પાંચ લાખ લોકો

1/5

અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમય થી વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે અને માનવામાં આવે છે કે આ મહાસભા આવનારી ગુજરાત વિધાનસભા 2017 ની ચૂંટણી માટેનું ટ્રેલર પણ સાબિત થાય તો નવાઈ નહિ
2/5

ગાંધીનગરઃ ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ દ્ધારા રાજ્યમાં દારૂબંધીના કાયદાને કડક કરવાની માંગણી સાથે 6 નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાંચ લાખથી વધારે લોકો એકઠા થાય તેવી સંભાવના છે.
3/5

આ મહાસભા માટે એકતા મંચે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગાંધીનગરના સેક્ટર 6 માં આવેલા ગ્રાઉન્ડ પર તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લા 3 મહિનામાં રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં સભાઓ અને રાત્રી મિટિંગો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે.
4/5

અલ્પેશ ઠાકોરે કહ્યું કે, આ મહાસભામાં એક પીડિત પરિવાર દ્ધારા ઘંટારવ કરવામાં આવશે અને જો સાંજના છ વાગ્યા સુધીમાં સરકાર કડક કાયદાનો અમલ નહીં કરે તો મૃત્યુઘંટ વગાડવામાં આવશે.
5/5

આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરે દાવો કર્યો હતો કે, આ રેલી ઐતિહાસિક બની રહેશે. અમે છેલ્લા એક વર્ષથી દારૂબંધીના કડક કાયદાની માંગણી કરી રહ્યા છીએ. હવે, અમે સરકારને તેમના જ ઘરમાં ઘેરીશું.
Published at : 03 Nov 2016 04:43 PM (IST)
View More
Advertisement