શોધખોળ કરો
રૂપાણી મંત્રીમંડળની બેઠકમાં ક્યા મંત્રી ના રહ્યા હાજર ? રાજકીય અટકળો તેજ
1/5

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રધાનમંડળની આજે મળેલી બેઠકમાં પણ રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ પ્રધાન પરશોતમ સોલંકી હાજર ના રહેતાં ફરી રાજકીય રીતે ગરમીનો માહોલ પેદા થઈ ગયો છે. આ સતત બીજી વાર એવું બન્યું છે કે સોલંકી રૂપાણી કેબિનેટની બેઠકમાં હાજર ના રહ્યા હોય.
2/5

ગાંધીનગરમાં મળેલી રૂપાણી સરકારની ત્રીજી કેબિનેટ બેઠકમાં પીએમ મોદીની ગુજરાત મુલાકાત, ટેકાના ભાવે મગફળીની ખરીદી અને ખેડૂતોને સિંચાઈને લઈને સતાવી રહેલા પ્રશ્ન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આગામી બજેટ સત્ર અને બજેટની તૈયારી અંગે પણ ચર્ચા કરાઈ હતી.
Published at : 10 Jan 2018 10:49 AM (IST)
View More























