શોધખોળ કરો
ગુજરાતમાં કેટલી છે ‘વાંઢા’ની સંખ્યા, ક્યા જિલ્લામાં સૌથી વધુ ‘વાંઢા’ ? જાણો 2011ની વસતી ગણતરીની વિગતો
1/5

ગુજરાતમાં સૌથી વધુ અપરીણિત લોકો પોરબંદરમાં છે. પોરબંદર જિલ્લાની કુલ વસતીમાં, 25 વર્ષ કરતાં વધુ વય થઈ ગઈ હોવા છતાં લગ્ન નહીં કરનારા લોકોનું પ્રમાણ 7.48 ટકા છે. એ પછી નવસારી (7.22 ટકા), જૂનાગઢ (6.75 ટકા), ભરૂચ (6.61 ટકા) અને અમદાવાદ (6.53 ટકા) છે.
2/5

ગુજરાતમાં 25 વર્ષથી વધારે વય થઈ હોવા છતાં લગ્ન ના થયાં હોય તેવાં લોકોની સંખ્યા 17.75 લાખ છે અને તેમાં પણ 70 ટકા પુરૂષો છે. ગુજરાતમાં 2011ની વસતી ગણતરી પ્રમાણે 1000 છોકરા સામે છોકરીઓનું પ્રમાણ માત્ર 886 છે.
Published at : 25 Sep 2016 01:13 PM (IST)
View More





















