શોધખોળ કરો
દ્વારકામાં 15 જેટલા ISના આતંકીઓ ઘૂસ્યા હોવાની આશંકા, અપાયું એલર્ટ
1/3

સર્જિકલ સ્ટ્રાઇક પછી ભારતમાં અને ખાસ કરીને સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, પાકિસ્તાનને જોડતા ગુજરાતના દરિયાઇ વિસ્તાર પર પણ ખાસ સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે. દરમિયાન ગઈ કાલે રાતે આઇબીને દ્વારકાના દરિયાઇ માર્ગે 15 જેટલા આતંકવાદી ઘૂસ્યાની માહિતી મળી હતી.
2/3

દ્વારકાઃ દ્વારકામાં 15 જેટલા આઇએસના આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના ગુપ્તચર એજન્સીના ઇનપુટ પછી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આતંકીઓ જગત મંદિરને ટાર્ગેટ બનાવી રહ્યા હોવાની અને 15 જેટલા આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી ગુપ્તચર એજન્સી દ્વારા આપવામાં આવી છે. દરિયાઇ માર્ગે આ આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની આશંકા છે.
Published at : 06 Oct 2016 11:19 AM (IST)
View More























