શોધખોળ કરો
અમરેલીના 200 દલિત પરિવારોએ કેમ છોડ્યો હિન્દુ ધર્મ? શું કરી માંગણી?
1/4

અમરેલી: અમરેલીમાં 200 દલિત પરિવારોએ હિન્દુ ધર્મ છોડીને બૌધ ધર્મ અપનાવી લેતાં ભારે ચકચાર જાગી છે. આ દલિત પરિવારોએ હિન્દુ ધર્મના દેવી-દેવતાઓને સન્માન સાથે ઠેબી ડેમના પાણીમાં પધરાવી દીધા હતા. આ દલિત પરિવારોએ અમરેલીમાં થયેલા કસ્ટોડિયલ ડેથ પછી ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે આ પગલું ભર્યું છે. આ કેસમાં દલિત સમાજ દ્વારા સીબીઆઇ તપાસની માગ કરાઇ છે.
2/4

આંદોલનાના ભાગ રૂપે ગઈ કાલે અમરેલી જીલ્લામાં રહેતા દલિત સમાજના 200 પરિવારના લોકોએ રેલી કાઢીને ઠેબી ડેમ ખાતે માન સન્માન સાથે હિન્દુ સમાજના દેવી-દેવતાઓના ફોટાને પધરાવીને બૌધ ધર્મ અપનાવી લીધો હતો.
Published at : 06 Jul 2017 10:25 AM (IST)
View More





















