શોધખોળ કરો
‘પાટીદાર અનામત આંદોલનના કારણે આનંદીબેનને ઘરે બેસવું પડ્યું’, આ નિવેદન BJPના કયા MLAએ આપ્યું? જાણો વિગત
1/5

ધારાસભ્ય નરેશ પટેલ ભાન ભુલીને બોલ્યા હતાં કે, હાર્દિક પટેલના પાટીદાર અનામતના કારણે અમારા આનંદીબેન પટેલને સીએમનું પદ છોડી ઘરે બેસવું પડ્યું. તેઓ આટલે જ અટક્યા નહીં અને કહ્યું હતું કે, ભાજપ સરકાર ક્યારે પણ બંધારણ સાથે કોઈ ચેડા નહીં કરવા દે, જ્યારે ભાજપ સરકારે પટેલ સમાજને સ્પષ્ટ કહીં દીધું હતું કે, બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય અને અનામત મળી શકે તેમ નથી.
2/5

ધારાસભ્ય નરેશ પટેલે આદિવાસીઓને રિઝવવા પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આદિવાસીઓની અનામત હંમેશા સુરક્ષિત જ રહેશે. પાટીદાર અનામત આંદોલનના સામે આદિવાસી અનામત સુરક્ષિત છે અને રહેશે. પાટીદાર અનામત આંદોલનને લઈ હાર્દિક પટેલનો અસલી ચહેરો ઉઘાડો પડી ગયો છે.
Published at : 16 Nov 2018 11:01 AM (IST)
View More





















