શોધખોળ કરો
પાટીદારોને ખુશ કરવા રચાયેલા બિનઅનામત આયોગના ચેરમેનપદે કોની થઈ નિમણૂક? બીજાં નિગમોમાં કોણ નિમાયા? જાણો વિગત
1/5

ગાંધીનગરઃ ગુજરાત સરકારે 18 બોર્ડ નિગમોમાં ચેરમેન તથા સભ્યોની નિમણૂક કરી છે ત્યારે તાજેતરમાં પાટીદારોને ખુશ કરવા રચાયેલા ગુજરાત બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ચેરમેનપદે નિવૃત્ત આઈએએસ અધિકારી બી.એચ. ઘોડેસરા નિમાયા છે. ઘોડેસરા વિધાનસભાની ચૂંટણી હારી ચૂક્યા છે.
2/5

ગુજરાત બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ઉપપ્રમુખ તરીકે વિમલ દિનેશચંદ્ર ઉપાધ્યા.ની નિમણૂક કરાઈ છે. આ નિગમના અન્ય સભ્યોમાં રૂપીન પચ્ચીગર, કરણસિંહ ચાવડા, હિમાંશુ ખમાર, જગદીશ ભાવસાર તથા શ્રીમતી અમીબેન પરીખની નિમણૂક કરાઈ છે.
Published at : 23 Oct 2017 02:21 PM (IST)
View More






















