શોધખોળ કરો
ગુજરાતમાં રવિવારે પેટ્રોલ પંપ બંધ રાખવા કે નહીં તે અંગે 6ઠ્ઠી મેએ નિર્ણય લેવાશે
1/5

અમદાવાદ શહેરમાં હાલમાં ૧૬૦ પેટ્રોલ પંપ કાર્યરત છે. છઠ્ઠી મેએ ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, વેસ્ટ બેંગાલ, બિહાર, ઓડિશા, આસામ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ગોવા, ઉત્તરાખંડ, દિલ્હી, ઝારખંડ, છત્તીસગઢ, નોર્થ-ઇસ્ટ સહિતનાં રાજ્યમાં રવિવારે પેટ્રોલ પંપ બંધ રાખવા કે નહીં તે અંગે નિર્ણય લેવાશે, પરંતુ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ તેઓ વડા પ્રધાન મોદીની અપીલ મુદ્દે સકારાત્મક હોવાનું જાણવા મળે છે.
2/5

આ મુદ્દે તામિલનાડુ, કેરળ, કર્ણાટક, પુડુચેરી, આંધ્ર, મહારાષ્ટ્ર અને હરિયાણાના ર૦,૦૦૦ પેટ્રોલ પંપ ૧૪ મેથી દર રવિવારે બંધ રહેશે તેવો પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિયેશને નિર્ણય કર્યો છે. દેશમાં પેટ્રોલ પંપ ડીલર્સનાં બે એસોસિયેશન કાર્યરત છે. એક કોન્સોર્ટિયમ ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સ (CIPD) અને બીજું ઓલ ઇન્ડિયા પેટ્રોલ પંપ ડીલર્સ અસોસિયેશન ગુજરાત ઓલ ઇન્ડિયા ડીલર્સ એસોસિયેશન સાથે જોડાયેલું છે, જેમાં ૧૭ રાજ્ય સામેલ છે.
Published at : 20 Apr 2017 07:59 AM (IST)
View More






















