આચાર્યોની 1,566, માધ્યમિક મદદનીશ શિક્ષક (શિક્ષણ સહાયક)ની 2,915, ઉચ્ચતર માધ્યમિક મદદનીશ શિક્ષક (શિક્ષણ સહાયક)ની 2,369 મળી કુલ-6,850 જગ્યાઓ પુન: જીવિત થશે. જેના પર હવે નિમણૂંકો આપવામાં આવશે.
2/5
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સાતમાં પગાર પંચના લાભો આપવા સમયે ખાલી રહેલ જગ્યાઓ રદ કરવાની શરતે, આ લાભો મંજૂર કરાયા હતાં. પરંતુ શિક્ષણ ક્ષેત્રે મહત્વની આ જગ્યાઓ ભરવી અનિવાર્ય હોઈ રાજ્ય સરકારે આ જગ્યાઓ પુન: જીવિત કરવાનો નિર્ણય કર્યો છે.
3/5
નીતિન પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાની પ્રાથમિકતા છે ત્યારે બિનસરકારી ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ કેડરની 6,850 જગ્યાઓ પુન:જીવિત કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. આટલી જગ્યાઓ પર સત્વરે નિમણૂંકો કરવામાં આવશે.
4/5
આ ભરતીમાં મદદનીશ શિક્ષકો અને આચાર્ય ભરતીનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે6850 જગ્યાઓ પુન:જીવિત કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે.
5/5
ગાંધીનગર: ગુજરાતના સરકારી શિક્ષણ વિભાગમાં દાયકાઓથી હજારો જગ્યા ખાલી બોલી રહી છે ત્યારે સરકારે નવી ભરતી તરફ આગળ વધતાં ખાનગી શાળાઓમાં વિવિધ કેડરની ભરતી માટે 6,850 જગ્યાની ભરતીની મંજૂરી આપી છે.