શોધખોળ કરો
મંદિરના મહંતે બળજબરી પરિણીતા સાથે શારીરિક સંબંધ બાધ્યા પછી શું થયું, જાણો વિગત
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 29 May 2018 12:00 PM (IST)
1/9

આ અંગે મહંત રીષીગીરી ગોસ્વામી સામે દુષ્કર્મ ગાળો આપી, માર મારવા અને ધમકી આપવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.
2/9

આ રીતે મહંતે રીષીગીરી ગોસ્વામીએ મારી જિંદગી બરબાદ કરી નાખી હતી. ફરિયાદ મોડી કરવા અંગે જણાવ્યું હતું કે મહંતને લગ્ન કરવાનું કહેતી હતી ત્યારે તે નવા નવા બહાના કાઢીને સમય લંબાવ્યા કરતો હતો અને મારી નાખવાની ધમકી આપતો હતો અને તેનાથી ડરી ગઈ હોવાથી ફરિયાદ કરી નહોતી.
3/9

મેં બૂમાબૂમ કરતાં મને ઢોર માર માર્યો હતો ત્યાર બાદ મે મારા પૂર્વ પતિને ફોન કરીને છોડાવવા કહેતા તેણે આવીને મને છોડાવી હતી. મારા પૂર્વ પતિની હાજરીમાં મહંતે મને ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કરી છે તો તને તથા તારા બન્ને બાળકોને જાનથી મારી નાખીશ.
4/9

એ પછી મહંતે મને મંદિરે આવવાનું જણાવ્યું હતું. પરંતુ મેં લગ્ન કરશો તો જ આવીશ બાકી નહીં આવું તેમ કહેતા ઉશ્કેરાયેલા મહંતે મારા પિતાના ઘરે આવીને મને બળજબરીથી મંદિરે લઈ ગયો હતો. મંદિરના ઉપરના ભાગે પૂરી દઈને બળાત્કાર ગુજાર્યો હતો.
5/9

ત્યાંથી મહંત મને પ્રાચી મંદિરે લઈ આવેલ અને લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. એક વર્ષ પહેલા લગ્ન કરવા જવાનું છે તેમ કહીને અંબાજી લઈ ગયો હતો. પરંતુ મારી સાથે લગ્ન કર્યા ન હતા અને અંબાજીમાં પણ મારી સાથે શરીર સંબંધ બાધ્યો હતો.
6/9

મેં લગ્ન કરવા દબાણ કરતા મહંતે મને પહેલા તારા પતિ પાસેથી છૂટાછેડા લઈ લે પછી લગ્ન કરીશું તેમ કહ્યું હતું. તેની વાતમાં આવી જઈને મેં પતિ સાથેથી છૂટાછેડી લઈ લીધાં હતાં. એ પછી હું મારા પિતાને ઘરે રહેવા જતી રહી હતી.
7/9

તેનો ફાયદો લઈને મને મહંત રીષીગીરીએ પ્રેમજાળમાં ફસાવી હતી અને મારી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. લગ્નની લાલચ આપીને તે મને મંદિરના ઉપરના માળે ગાદીપદીના રૂમમાં લઈ ગયો હતો. ત્યાં બળજબરીથી તેણે મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
8/9

તેના કારણે મંદિરના મંહત રીષીગીરી રાજનગીરી ગોસ્વામીના સંપર્કમાં આવી હતી દોઢ વર્ષ પહેલા મહંતે મને મંદિરમાં સેવા કરવા માટે બોલાવી હતી. આથી હું મંદિરે ગઈ હતી. ત્યારે હું મહંતની વધુ નજીક આવી હતી.
9/9

વેરાવળ: માધવરાય મંદિરના મહંતે એક પરિણીતાને પર દુષ્કર્મ આચર્યું હતું. તાલાળાના આંકોલવાડીની વતની અને પ્રાંચી ગમે સાસરે રહેતી બે સંતાનની માતા એવી યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે તે અવારનવાર માધવરાય મંદિરે દર્શન કરવા જતી હતી.
Published at : 29 May 2018 11:59 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગુજરાત
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ
ગુજરાત
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ગુજરાત
Rain Forecast: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, અમદાવાદ-ગાંધીનગર, કચ્છ સહિત 17 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
ટ્રેન્ડિંગ સમાચાર






















