શોધખોળ કરો
2002 ગુજરાત રમખાણો મુદ્દે મોદીને ક્લિન ચિટ અંગે સુપ્રીમ કોર્ટ સોમવારે કરશે સુનાવણી, જાણો વિગત
1/4

27 ફેબ્રુઆરી 2002ના દિવસે ગોધરામાં સાબરમતી ટ્રેનના એસ-6 કોચને આગ લગાવવામાં આવી હતી. જેમાં 59 કારસેવકો માર્યા ગયા હતા. આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને તેના બીજા દિવસે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ગુલમર્ગ સોસાયટીમાં ઝનૂની ટોળાએ હુમલો કરી આગ લગાવી હતી. જેમાં એહસાન ઝાફરી ઉપરાંત અન્ય 68 લોકોના મોત થયા હતા.
2/4

ઓક્ટોબર 2017માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોદી અને અન્ય 58 લોકોને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ક્લિન ચિટ આપવામાં આવી હતી. ઝાકિયા જાફરી અને તિસ્તા સેતલવાડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સીટની રચના કરી હતી અને 2012માં તેણે રિપોર્ટ સોંપ્યો હતો.
Published at : 13 Nov 2018 02:50 PM (IST)
View More





















